SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈક એછે અર્ધપુદ્ગલ પરાવતકાળ સમાપ્ત થઈ જાય છે. આટલા મોટા કાળ પછી તે જીવ અજ્ઞાની પણાથી રહેતા નથી. પરંતુ જ્ઞાની બની જાય છે. તેમના અંતરદ્વારનું કથનઆ અંતરદ્વારના સંબંધમાં ગૌતમ સ્વામી પ્રભુ શ્રી ને એવું પૂછે છે કે-આભિનિબાધિક જ્ઞાનથી મુક્ત થયેલ જીવ ફરીથી આભિનિબંધિક જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પ્રાપ્ત કરવામાં તેને કેટલા કાળનું અંતર હોય છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-હે ગૌતમ ! “મિળિ ચિનાઈજર નgumi બતોન્ન કોસેળ મid વારું મઢ પોસ્ટપરિચદં રેલૂળ આભિનિધિક જ્ઞાનીનું આભિનિધિજ્ઞાન છૂટિ જવાથી ફરીથી તેને પ્રાપ્ત કરવામાં ઓછામાં એ એક અંતમુહૂર્તનું અંતર થાય છે, અને વધારેમાં વધારે અનંતકાળનું અંતર થાય છે. ક્ષેત્રની એપેક્ષાથી કંઈક ઓછા અધપુદ્ગલ પરાવર્ત કાળનું અંતર થાય છે. એટલા કાળ પછી આભિનિધિક જ્ઞાની અભિનિબાધિક જ્ઞાન છૂટી ગયા પછી ફરીથી તે તેને પ્રાપ્ત કરી લે છે “gવં સુચાગળો તર” એજ પ્રમાણે શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાન છૂટિ ગયા પછી ફરીથી તેને આટલા જઘન્ય કાળ પછી અને ઉત્કૃષ્ટ કાળ સમાપ્ત થયા પછી ફરીથી તે પ્રાપ્ત કરી લે છે. તેમ સમજવું “વિજ્ઞવળી મનઃ પર્યાવજ્ઞાની મન:પર્યવજ્ઞાન છૂટી ગયા પછી ફરીથી તે જે મનઃ પર્યાવજ્ઞાન પ્રાપ્ત કરે તે તેને તેની ફરીથી પ્રાપ્તિ કરવામાં જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અંતર થાય છે. અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું અંતર થાય છે. તેમાં કંઈક કમ અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ સમાપ્ત થઈ જાય છે. આ કથન ત્રાજુમતિ મનઃ પર્યાવજ્ઞાનની અપેક્ષાથી કહેવામાં આવેલ છે તેમ સમજવું કેમકે–વિપુલમતિના મન:પર્યવજ્ઞાનનો પ્રતિપાત થત નથી. “વસ્ત્રનાળો નત્રિ તર’ કેવળજ્ઞાન વાળાને અંતર હોતું નથી. કેમકે તેઓની સ્થિતિ સાદિ અપર્યવસિત કહેવામાં આવેલ છે. તેથી એકવાર તેની પ્રાપ્તિ થયા પછી તે છૂટતું નથી તેથી તેને અંતરને નિષેધ કરવામાં આવેલ છે. નાળક્સ” અજ્ઞાની જીવના સંબંધમાં ત્રણ વિકલ્પ છે. એક અનાદિ અપર્યવસિત અજ્ઞાની, બીજા અનાદિ સપર્યવસિત અજ્ઞાની અને ત્રીજા સાદિ જીવાભિગમસૂત્ર ૪૫૧
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy