SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી હોય છે, વરવારૂણી જેવી હોય છે. પત્રાસવ જેવો હોય છે. પુષ્પોના રસથી બનેલ જે પુપાસવ હોય છે, ફળના રસથી બનેલ ફળાસર જે હોય છે. ગંધ દ્રવ્યના સારથી બનેલ સેવાસવ જેવો હોય છે, મધ, ગોળ અને મહુડાને મેળવીને બનાવેલ આસવ (મદિરા) જેવો હોય છે, મેરક નામની શરાબ (દારૂ) જેવી હોય છે, જાઈના પુષ્પની સુંગધવાળી જે જાતી મેર શરાબ હોય છે, જાતિ પ્રસન્ના નામની સુરા જેવી હોય છે, ખજુરના રસથી બનેલ ખજુર સાર જેવો હોય છે, દ્રાક્ષના રસથી બનેલ મૃદ્ધીકાસાર જેવો હોય છે. કાપ શાયન જેવું હોય છે. સારી રીતે પકવવામાં આવેલ શેરડીના રસના જેવો સારી રીતે પકવેલ ક્ષેદ રસ જેવો હોય છે, અનેક પ્રકારના સંભાર રસથી વ્યાપ્ત પિષમાસમાં સેંકડો વૈદ્યો દ્વારા તૈયાર કરવામાં આવેલ નિરૂપહત એવા અનેક ઉપચારથી તૈયાર કરવામાં આવેલ વારંવાર પેઈને બનાવેલ તથા ઉત્તમ મદને ઉત્પન્ન કરવાવાળી વિગેરે વિશેષણથી લઈને વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ પર્યન્તના વિશેષણોથી યુક્ત સુરા–શરાબ-દારૂ જે હોય છે. એ જ પ્રમાણે મિઠાશ વિગેરેથી યુક્ત તે સમુદ્રનું જળ હોય છે. તેથી આ મીઠાશ વિગેરે નિમિત્તને લઈને આનું નામ વારૂણી પર સમુદ્ર એવું કહેવાયું છે. પ્રભુના આ પ્રમાણે કહેવાથી ફરીથી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-“મવે gયા રે વિચા” હે ભગવન વારૂણદક સમુદ્રનું જળ આવા પ્રકારના વર્ણવાળું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ એવું કહ્યું કે “જો રૂદ્દે સમ' હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. “ વાસ થં સમુદ્રમાં પણ પ્રસ્તો રૂદ્રત નાવ કા' કેમકે વરૂણ સમુદ્રનું જળ સ્વાદમાં આ સુરા વગેરેના સમૂહથી વિશેષ ઈટ તર છે. કાન્તર છે, પ્રિયતર છે. મને જ્ઞતર છે. અને મન આમતર છે. “ વુિં યુવતિ” આ કારણથી હે ગૌતમ ! આ સમુદ્રનું નામ વરૂણ વર સમુદ્ર એ પ્રમાણે કહેવાયેલ છે. “તથ વાળવાળવતા રેવા નાવ મટુફઢિયા વાવ વિખંતિ’ એ વરૂણવર સમુદ્રમાં વારૂણ અને વરૂણકાંત એ નામના બે દે રહે છે. તેઓ પરિવાર અને વિમાન વિગેરે પ્રકારની મોટી ઋદ્ધિવાળા છે. અરે ઘણાં ગાવ જિન્ને તેથી આ દેવેને ત્યાં સદૂભાવ હોવાના કારણથી આ સમુદ્રનું નામ એ પ્રમાણે થયેલ છે. તથા આ સમુદ્રનું નામ યાવત્ નિત્ય છે, ત્રણે કાળમાં એ આ નામવાળેજ હતે. અર્થાત્ ભૂતકાળમાં એ નામવાળે હત, વર્તમાનમાં એ નામવાળે છે. અને ભવિષ્યમાં પણ એ નામવાળો રહેશે. દ૬ નોરૂવં િળ નાચવ” અહીયાં સઘળા તિષ્ક દે સંખ્યાત જ છે. તેમ સમજી લેવું “વળવળ હવે રૂ ચંપમર્ષિનું વારૂ વરૂણુવર સમુદ્રમાં કેટલા ચંદ્રમાએ પ્રકાશ આપે હતો ? વર્તમાનમાં તેઓ ત્યાં કેટલી સંખ્યામાં રહીને પ્રકાશ આપે છે? તથા ભવિષ્યમાં તેઓ કેટલી સંખ્યા વાળા થઈને પ્રકાશ આપશે? કેટલા સૂર્યો ત્યાં તપ્યા હતા? કેટલા સૂર્યો વર્તમાનમાં તપે છે, અને ભવિષ્યમાં કેટલા સૂર્યો તપતા રહેશે? વિગેરે પ્રશ્નોને ઉત્તર ત્યાં સંખ્યાત જ્યોતિષિક દેવે છે. તેનાથી જ સમજી લેવું, છે સૂ. ૯૬ છે જીવાભિગમસૂત્ર ૨૩૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy