________________
सहस्साई ओगाहित्ता तं चेव उच्चत्तं आयामविक्खंभेणं परिक्खेवो वेइया वणसंडा' है ગૌતમ! જંબુદ્વિીપના મેરૂ પર્વતથી પશ્ચિમમાં લવણસમુદ્રમાં ૧૨ બાર હજાર
જન આગળ જવાથી સૂર્ય દ્વીપ આવે છે. તેની લંબાઈ પહોળાઈ વિગેરે તમામ વર્ણન ચંદ્રદીપના વર્ણન પ્રમાણે જ છે. અહીંયા પણ વેદિકા વનખંડ અને ભૂમિભાગ ચંદ્રદ્વીપના વર્ણન પ્રમાણે જ છે. યાવત અહીંયા સૂર્ય દેવ રહે છે. તેમાં એક પ્રાસાદાવતંસક છે. આ પ્રાસાદાવતંસકનું પ્રમાણ પણ પહેલાના પ્રમાણ જેટલું જ છે. આ પ્રાસાદાવર્તાસકમાં એક મણિપીઠિકા સપરિવાર સિંહાસન વિગેરેનું વર્ણન પણ પહેલા કહેલ ચંદ્વીપના વર્ણન પ્રમાણે જ છે. તેનું નામ
સૂર્ય દ્વીપ એ પ્રમાણે કેવી રીતે થયેલ છે? તે તેના ઉત્તરમાં અહીંયાં એવું કહેવું જોઈએ કે એહીંયાં નાની મોટી વાવે છે. તેમાં સૂર્યની કાંતી જેવા ઉત્પલો વિગેરે ઉત્પન્ન થાય છે. તથા સૂર્ય નામના તિષિક ઇન્દ્ર ત્યાં રહે છે. તેની સૂર્યા રાજધાની લવણ સમુદ્રના સૂર્યદ્વીપથી પશ્ચિમ દિશામાં બીજા જબૂદીપમાં ૧૨ બાર હજાર જન આગળ જવાથી આવે છે. આ શિવાય બાકીનું બીજુ તમામ આ સંબંધી કથન વિજ્યા રાજધાનીના કથન પ્રમાણે છે.
લવણસમુદ્રમાં આવેલ ચંદ્ર સૂર્ય દ્વીપનું કથન 'कहि णं भंते ! अभित्तरलावगाणं चंदाणं चंददीवा णामं दीवा पण्णत्ता' લવણ સમુદ્રમાં રહીને જંબુદ્વીપની દિશામાં ફરવાવાળા-શિખાની પહેલા પહેલા ફરવાવાળા બે ચંદ્રમાના બે ચંદ્રદ્વીપ ક્યાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જો ! હે ગૌતમ !
श्रवते हि पुराविदां तु मुखतः प्राच्यां तु मेरोदि शि, क्षारोदं दशनेत्र योजनशतं सगुण्यसद्भिः शतैः ।। अभ्यन्तश्चरतोस्तु लावणिकयोः सविश्य चन्द्रौ स्थितौ, द्वीपौ चन्द्रमसौ पुमान् क्व नु नरः सिद्धि विना दर्शयेत् ॥ १ ॥ જબૂદ્વીપ નામના દ્વીપમાં રહેલ મંદર પર્વતની પૂર્વ દિશામાં ૧૨ બાર હજાર યોજન પર્યન્ત લવણ સમુદ્રને અવગાહિત કરીને ત્યાં આવેલ બરોબર એજ સ્થાન પર આભ્યન્તર લવણસમુદ્રમાં બે ચંદ્રમાના બે ચંદ્રદ્વિીપ છે, “T Gીવ ચં ત માળિયવા” જે પ્રમાણે આ સૂત્રમાં ચંદ્રદ્વીપને લઈને જબૂદ્વીપમાં આવેલ ચંદ્રદ્વીપનું કથન કરેલ છે. એ જ
જીવાભિગમસૂત્ર
૧૭૩