________________
છ ધનુષ બે હાથને તેર આંગળની છે. ૧૧, બારમા પ્રતરમાં સાત ધનુષ અને સાડાએકવીસ આંગળની છે. ૧૨, અને છેલલા તેરમા પ્રતરમાં સૂત્રોક્ત સાતધનુષ ત્રણ હાથ અને પૂરા છ આંગળની રત્નપ્રભા પૃથ્વીના નારકેની ભવધારણીય અવગાહના ઉત્કૃષ્ટથી થાય છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે. ૧૫
હવે શર્કરપ્રભા પૃથ્વીના સંબંધમાં કથન કરવામાં આવે છે. -“જો રેવ એ વીચાણ' ઇત્યાદિ
રત્નપ્રભા પૃથ્વીના તેરમા પ્રતરમાં જેટલા પ્રમાણની અવગાહના કહેવામાં આવી છે. તે જ પ્રમાણેની અવગાહના સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની શર્કરા પ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે. પછી આ અવગાહનાના પ્રમાણમાં “તિર સિનિ પુરું' ત્રણ હાથ અને ત્રણ આંગળ પછી પછીના દરેક પ્રતરમાં મેળવતા જવું જોઈએ. ારા
આ રીતે મેળવવાથી છેલ્લા અગીયારમાં પ્રતરમાં પંદર ધનુષ બે હાથ અને બાર આંગળ અર્થાત્ એક વિતસ્તિ (ત) કેમકે બાર આંગળની એક વિતસ્તિનામ વેંત થાય છે. તે દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે થાય છે.–શર્કરા પ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની, અવગાહના થાય છે. ૧, બીજા પ્રતરમાં આઠ ધનુષ બે હાથ અને નવ આગળની ૨, ત્રીજા પ્રતરમાં નવ ધનુષ એક હાથ, અને બાર આંગળની ૩, ચોથા પ્રતરમાં દસ ધનુષ અને પંદર આંગળની ૪, પાંચમા પ્રતરમાં દસ ધનુષ ત્રણ હાથ અને અઢાર આંગળની ૬, સાતમા પ્રતરમાં બાર ધનુષ અને બે હાથની ૭, આઠમા પ્રતરમાં તેર ધનુષ એક હાથ અને ત્રણ આંગળની ૮, નવમા પ્રતરમાં ચૌદ ધનુષ અને છ આંગળની ૯, દસમા પ્રતરમાં ચૌદ ધનુષ ત્રણ હાથ અને નવ આંગળની, ૧૦, અને છેલ્લા અગીયારમા પ્રતરમાં સૂત્રમાં કહ્યા પ્રમાણે પંદર ધનુષ બે હાથ અને બાર આંગળ અર્થાત્ એકવિતસ્તિ નામ વેંતની હોય છે. ૧૧, આ અવગાહના બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નારકની ઉત્કૃષ્ટથી કહેવામાં આવેલ છે. ૨ કે ગા. ૩ છે
જીવાભિગમસૂત્ર
૭૨