SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ચરમાન્ત અને તનુવાતની નીચેના ચરમાત સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? ઉત્તર-હે ગૌતમ ! આ બન્નેના અંતરમાં અસંખ્યાત જનનું અંતર કહેવું જોઈએ. પ્રશ્ન- હે ભગવન્ ધૂમપ્રભાની ઉપરના ચરમાતથી અવકાશાન્તરના ઉપર નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? ઉત્તર-હે ગૌતમ! આ સંબંધમાં પણ અસંખ્ય લાખ એજનનું અંતર સમજવું. પ્રશ્ન-હે ભગવન તમ પ્રભા પૃથ્વીના ચરમાન્ડથી નીચેના ચરમાન્ત સુધી કેટલું અંતર કહેલ છે ? ઉત્તર-હે ગૌતમ! તમ પ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ડથી નીચેના ચરમાન્ત સુધીમાં એક લાખ સોળ હજાર એજનનું અંતર કહ્યું છે. તથા આજ પ્રમાણેનું અંતર તમ પ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘને દધિના ઉપરના ચરમાત સુધીમાં પણ એક લાખ સોળ હજાર એજનનું અંતર સમજવું પ્રશ્ન-તમપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાતથી ત્યાંના ઘને દધિની નીચે જે ચરમાન્ત છે. ત્યાં સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? ઉત્તર હે ગૌતમ ! તમ પ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘોદધિની નીચેના ચરમાન્ત સુધીમાં એક લાખ છત્રીસ હજાર એજનનું અંતર કહ્યું છે. પ્રશ્ન-તમ પ્રભા પૃથ્વીના ઉપરનાં ચરમાન્તથી ઘનવાતના ઉપરના ચરમાન્ત સુધીમાં આટલુંજ એટલે કે એક લાખ છત્રીસ હજાર એજનનું અંતર કહ્યું છે. તથા તમપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાથી ઘનવાતની નીચેના ચરમાન્ત સુધીમાં અસંખ્ય લાખ યોજનાનું અંતર કહેલ છે. અને એટલું જ અંતર અવકાશાન્તર ના ઉપર અને નીચેના ચરમાન્ત સુધીમાં કહ્યું છે. પ્રશ્ન-હે ભગવન અધઃસપ્તમી તમતમા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી એની નીચેના ચરમાંત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! અધઃસપ્તમી તમતમાં પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાંત સુધીમાં એક લાખ અયાવીસ હજાર એજનનું અંતર કહેલ છે. પ્રશ્ન-અધઃસપ્તમી તમતમાં પૃથ્વીની ઉપરના ચરમાંતથી ઘોદધિની ઉપરના ચરમાંત સુધીમાં કેટલા યોજનાનું અંતર કહેલ છે ? ઉત્તર હે ગૌતમ! એક લાખ અઠયાવીસ હજાર જનનું અંતર કહેલ છે. પ્રશ્ન-અધઃસપ્તમી તમતમાં પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘનોદધિની નીચેના ચરમાંત સુધીમાં કેટલું અંતર કહેલ છે ? ઉત્તર હે ગૌતમ એક લાખ અઠયાવીસ હજાર જનનું અંતર કહ્યું છે. અધઃસપ્તમી પૃથ્વીની ઉપરના ચરમાન્ત સુધીમાં પણ અસંખ્યાત લાખ એજનનું અંતર કહ્યું છે. તથા એટલું જ અંતર તનુવાતની ઉપરના અને નીચેના ચરમાંત સુધીમાં કહેલ છે. આજ પ્રમાણે અવકાશાન્તરની ઉપરના અને નીચેના ચરમાન્ત સુધીમાં પણ અસંખ્યલાખ જનનું અંતર સમજવું. એ પ્રમાણેનું આ કથનથી સ્પષ્ટી કરણ કરેલ છે. જે સૂ ૧૦ છે જીવાભિગમસૂત્ર ૪૪
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy