________________
ચરમાન્તથી એક ઘનેદધિને જે નીચેને ચરમાન્ત છે, તે એક લાખ અડતાલીસ હજાર જનના અંતર પર છે.
હે ભગવદ્ વાલુકા પ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ઘનવાના ઉપરના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ! વાલુકાપ્રભાની ઉપરના ચરમાન્ડથી ઘનવાતની ઉપરના ચરમાન્ત સુધીમાં એક લાખ અડતાલીસ હજાર જનનું અંતર કહ્યો છે. એમ કહેવાનું કારણ એ છે કે ત્યાંજ ઘને દધિની નીચેનું અરમાન્ત સમાસ થાય છે. અને તનુવાતની ઉપરના અરમાન્તને પ્રારંભ થાય છે, ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવન્! ઘનવાની નીચે ચરમાન્ત અને તનુવાત અને અવકાશાન્તરની ઉપરના નીચેના ચરમાન્ત સુધી વાલુકાપ્રભાની ઉપરના અરમાન્સથી કેટલું અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે
ગૌતમ ! ત્યાંથી ત્યાં સુધીમાં દરેકનું અસંખ્યાત લાખ જનનું અંતર કહ્યું છે. ૩ ! એજ પ્રમાણે પંકખભા પૃથ્વીના સંબંધમાં પણ એની વિશાળતાં પહોળાઈના સંબંધમાં ઉપરના ચરમાતથી તેનીજ નીચેના ચરમાન્ત સુધીનું અંતર સમજવું. તથા ઘનેદધિની નીચેના ચરમાન્ત સુધીનું અંતર અને ઘનવાતની ઉપરના અને તનુવાતના ઉપરના ચરમાત સુધીનું અંતર અને તેની નીચેના ચરમાત સુધીનું અંતર તથા અવકાશાન્તરની ઉપર ના અને નીચેના ચરમાન્ત સુધીનું અન્તરસમજી લેવું જોઈએ જેમકે હે ભગવન્! પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે.? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! પંકપ્રભા ની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાંત સુધીમાં એક લાખ વીસ હજાર એજનનું અંતર કહેલું છે. કેમકે આ પૃથ્વીની વિશાળતા એટલી જ કહેવામાં આવી છે. હે ભગવન પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ત થી ઘનેદધિની ઉપરના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? હે ગૌતમ! એજ એક લાખ વીસ હજાર યોજનાનું અંતર કહ્યું છે. કેમકે પંકપ્રભા પૃથ્વીની નીચેને ભાગ અને ઘને દધિની ઉપરને ભાગ
જીવાભિગમસૂત્ર
૪૨.