SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ રહે છે. એવી એક પણ ક્ષણ નથી કે જીવ પેાતાની આ જીવન રૂપ અવસ્થાથી રહિત થઈ જાય, સંસાર અવસ્થામાં તે આ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણુ અને પ્રાણેથી જીવીત રહે છે. અને મુક્ત અવસ્થામાં આ કેવળ જ્ઞાનદન સુખ વીય વગેરે ભાવપ્રાણાથી જીવે છે. તેથીજ સંસાર અવસ્થામાં અને મુક્ત અવસ્થામાં પણ આ જીવ ‘જીવ’ એ નામથી કહેવાય છે. અથવા જીવપદથી અહિયાં કઇ એક ખાસ જીવનું ગ્રહણ થયેલ નથી. પરંતુ જીવ સામાન્યનું જ ગ્રહણ થયેલ છે. જીવ સામાન્ય પ્રાણધારણ રૂપ સામાન્ય પેાતાના લક્ષણાથી જીવે છે જીવ્યા છે, અને જીવતા રહેશે. તેમાં કંઇજ વિશેષ આવતા નથી. તેથી એવા આ સામાન્ય જીવની કાયસ્થિતિને કાળ અનાદિ અને અનંત રૂપ છે. આ પ્રમાણે જીવદ્વારની જેમ પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા કાયસ્થિતિ નામના પદમાં કહેલા ગતિ, ઇન્દ્રિય, કાય વિગેરે ખાવીસે દ્વારાને સમજી લેવા જોઇએ. તેમાં ગતિ પદ્મની અપેક્ષાથી જ્યારે કાયસ્થિતિને વિચાર કરવામાં આવે છે. ત્યારે ત્યાં ગતિ કહેતા નરક ગતિ તિય ગતિ, મનુષ્યગતિ, અને દેવગતિ આ ચારે ગતિએને લઈને કાયસ્થિતિને વિચાર કરવામાં આવે છે. અહિયાં થે।ડા સૂત્રને! આલાપ પ્રકાર બતાવવામાં આવે છે. જેમકે નેચાળ મંતે ! નેત્તિ જાગો દેવદિયાં હો' હે ભગવન્ વૈરયિક જીવની કાયસ્થિતિના કાળ કેટલે કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! જ્ઞાન' સવાસસહસ્સાનું જોરેન સેશીત સાગરોવમારૂં' હે ગૌતમ! નારક જીવની કાયસ્થિતિનેા કાળ જઘન્યથી દસ હજાર વર્ષના છે, અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમના છે. *તિરિવસ્વ નાળિŌ અંતે! તિવિશ્ર્વ નાળિયત્તિ જાહઞો ચેરિયાં હો' હે ભગવન્ તિય ચૈાનિક જીવની કાયસ્થિતિનેા કાળ કેટલે કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહેછે કે પોયમા ! ગોળ બંનેમુદુત્ત જોતેન જીવાભિગમસૂત્ર ૧૪૪
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy