SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર વિગેરેમાં જે દેવેને આ સંહનન વાળા કહેલા છે, તે પણ ગૌણ વૃત્તિથી જ કહેલા છે. તેનું કારણ એ છે કે–આ મનુષ્ય લેકમાં વા ૪ષભ, નારાચ સંહનન વાળા ચક્રવર્તિ વિગેરેની જે શક્તિ હોય છે. તે સઘળા શેષ મનુષ્યોની અપેક્ષાથી અસાધારણ હોય છે. પરંતુ તેઓની અપેક્ષાથી પણ પર્વતને ઉખાડવારૂપ અધિક શક્તિ દેવોની હોય છે. તેમ સાંભળવામાં આવે છે. તે પણ તેઓને શ્રમ થતું નથી તેથી વજી સહનનની સમાનતા ને લઈને દે ને વજ સંહનની–વા સંહનન વાળા કહેલા છે. વાસ્તવિક રીતે તેઓ સંહનન વાળા હોતા નથી. કેમ કે શાસ્ત્રમાં અસ્થિનિચય-હાડકાના સમૂહને જ સંવનન કહેલ છે. નારકને પણ હાડકા વિગેરેના અભાવથી સંહનને અભાવ હોય છે. અહિયાં એવું કહેવું જોઈએ કે– સંહનન ના અભાવમાં શરીર બ ધ કેવીરીતે થઈ શકે છે ? કેમ કે ઉપભેગના આવવાથી જ શરીરને વ્યવહાર થાય છે. આ પ્રશ્નનને ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે તેમાં કોઈ પણ દોષ નથી, તથાવિધ-તેવા પ્રકારના પુદ્ગલરક ધોની જેમ શરીરને બંધ થઈ જ જાય છે. તેથી સૂત્રકાર કહે છે કે “જે પુરાઢા, ઉદા, મેતા, મઘા , અણુમાં, ગમguru, અમામા” જે પુદગલે અનિષ્ટ છે, એટલે કે મનની ઈચ્છાની બહાર છે. અકાન્ત છે. એટલે કે સેહામણું નથી, અકમનીય છે. એટલે કે અત્યંત અશુભ વર્ણ વાળા છે. અને તેથીજ અપ્રિય છે. એટલે કે–દેખતાં જ જે પ્રિયબુદ્ધિ જનક નથી. અશુભરસ ગંધ સ્પર્શ વાળ છે. મનોજ્ઞ છે. મનને આનંદદાયક નથી પરંતુ વિપાક કાળમાં દુઃખ ઉત્પન્ન કરાવનારા છે. અમનેડમ છે – એટલે કે–જંતુઓને ઉપભોગ માટે જે કોઈ પણ વખતે તેઓના મનને રૂચિકર નથી. એવા તે પુદ્ગલે “સેસિ વંધાવત્તા નિમંતિ'' એ નારક જીવોના શરીરના સ ઘાતરૂપથી અર્થાત્ તેવા પ્રકારના શરીરની પરિણતિના રૂપમાં પરિણામને પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે તેઓને શરીર બંધ થઈ જાય છે આ સંહનનદ્વાર સમાપ્ત. હવે સંસ્થાન દ્વારનું કથન કરવામાં આવે છે –તેમાં ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે –“સેપ્તિ મરે ! નવા નીરના વિદિશા ઘરના” હે ભગવન આ નારકના શરીર કેવા સંસ્થાન વાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “જો મા ! સુવિ vvmત્તા” હે ગૌતમ ! નારકોના શરીર બે પ્રકારના કહેવામાં આવેલા છે. “ TET” તે આ પ્રમાણે છે. “માધાજ કત્તવિયા ” એક ભવધારણીય શરીર અને બીજું ઉત્તર વૈક્રિય શરીર તેમાં જે બને તે માધાનિકા” જે ભવધારણીય શરીર છે, “તે ફુટિયા” તે બધા હંડક સંસ્થાન વાળા હોય છે. કેમકે–તે નારકનું આ ભવ ધારણીય શરીર સ્વભાવથી જ તે પક્ષીના શરીર જેવું હોય છે, કે જેની બન્ને પાંખો બિલકુલ મૂળમાંથી ઉખાડી લેવામાં આવી હોય. તેમજ ગ્રીવા રોમ વિગેરે જેના શરીરમાંથી કહાડીનાખવામાં આવેલા હોય એવા પક્ષિ જોવામાં જેમ અત્યન્ત બિભત્સ-ખરાબ બિહામણા લાગે છે, તે જ પ્રમાણે આ નારકીયો પણ શરીરથી એવા જ બીહામણું દેખાય છે. તેઓના શરીરની રચના આ સંસ્થાનમાં બિલકુલ બેડોળ હોય છે. તથા જે “ દિવા રે જીવાભિગમસૂત્ર ૬૭
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy