SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર નયની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. નિશ્ચય નયની અપેક્ષાએ તે જે અનંત પ્રદેશેવાળો સ્કન્ય હોય છે, તે અતિશય અપ પણ હોય છે અને પાંચ વર્ણોવાળા જ હોય છે, એમ સમજવું ‘વિરાજ પni ugaતથા વિધાન માર્ગની અપેક્ષાએ—વિશેષ ચિંતનની અપેક્ષાએ-તો તે સૂક્ષ્મપૃથ્વીક યિક છે કાળા વર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, નીલ વર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, લાલ વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, પીળા વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે અને શુકલ વર્ણવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે. “કાળા વર્ણવાળા દ્રવ્યોને આહાર કરે છે”, ઈત્યાદિ જે કથન કરવામાં આવ્યું છે તે વ્યવહાર નયની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, કારણ કે નિશ્ચય નય અનુસાર તે તે દ્રવ્ય પાંચ વર્ણનાં હોય છે, એમ સમજવું જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન ‘કાછું avorો તારું તારું જિં ઘTTઢાડું માહાત જાવ અનંતગુજરાઢાડું મારાઁતિ ?” હે ભગવન્! જે તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જ વર્ણની અપેક્ષાએ કાળા વર્ણવાળા દ્રવ્યોને આહાર કરે છે, તે શું તેઓ એક ગણા કાળાવળા દ્રવ્યને આહાર કરે છે, કે બેથી લઈને દશ ગણુ કાળા વર્ણવાળાં દ્રવ્યને આહાર કરે છે, સંખ્યાત, અસંખ્યાત અને અનંતગણ કાળાવર્ણવાળાં દ્રવ્યને આહાર કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ગુણાત્રા નિ રિ, કાવ અiago વાઢશું મહાતિ” હે ગૌતમ ! તેઓ એક ગણ કાળા વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, બેથી લઈને દસ ગણું, સંખ્યાત ગણું. અસંખ્યાત ગણા અને અનંત ગણા કાળાવવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે. આ રીતે અહીં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે તેઓ ગમે તેટલા ગણું કાળાવર્ણવાળાં દ્રવ્યનો આહાર ગ્રહણ કરે છે. “gવું કાવ જિરઢા” એ જ પ્રમાણે તેઓ એક ગણથી લઈને અનંત ગણ નીલ દ્રવ્યોને પણ આહાર ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે એક ગણું રાતાવર્ણવાળા દ્રવ્યોથી લઈને અનંત ગણ રાતાવર્ણવાળ દ્રવ્યોને પણ આહાર ગ્રહણ કરે છે. એ જ પ્રમાણે એક ગણાથી લઈને અનંત ગણા પીળાવર્ણવાળાં દ્રવ્યને આહાર પણ તેઓ ગ્રહણ કરે છે, અને એક ગણાથી લઈ ને અનંત ગણા શુકલતાવાળાં દ્રવ્યોને પણ આહાર ગ્રહણ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—“કરૂ મારો ધર્માતાજું ઘણું સાત્તિ, તારું જિ - વિંધાણું હાર્તિ, સુiધારું આદાતિ ?“ જે તેઓ ભાવની અપેક્ષાએ ધયુક્ત દ્રવ્યોને આહાર કરે છે, તે શું તેઓ એક ગધવાળા દ્રવ્યોને આહાર કરે છે ? તે બે ગધ વાળા દ્રવ્યોને આહાર કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર –“યમાં ! રામવાળ દુર અંધારું સાદાતિ, ટુiધારું Gિ મારિ” હે ગૌતમ ! સામાન્ય દૃષ્ટિએ વિચારવામાં આવે તે તેઓ એક ગંધવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, અને બે ગંધવાળાં દ્રવ્યોને આહાર પણ કરે છે. આ કથન વ્યવહાર નયના મત અનુસાર કરવામાં આવ્યું છે. નિશ્ચય નયના મતાનુસાર તે બધાં દ્રવ્ય બે પ્રકારના ગંધવાળાં હોય છે. “ વિના ઘgશ્વ ગુમiધાડું માહાતિ, ટુરિઅviઘા f grઊંત્તિ” વિશેષ વિચારની દૃષ્ટિએ તે તેઓ સુરભિ ગંધ વાળાં (સુગંધયુક્ત) દ્રવ્યોને પણ આહાર કરે છે, અને દુરભિગંધવાળાં (દુર્ગધયુક્ત) દ્રવ્યોને પણ જીવાભિગમસૂત્ર ૩૩
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy