SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમાં પુરુષે કહ્યું– જાંબુનાં ગુચ્છાઓ કાપવાની શી જરૂર છે? ગુચ્છાઓમાંથી માત્ર પાકાં જાબુને જ તેડી લેવા જોઈએ.” - છઠ્ઠા પુરુષે કહ્યું “પાકાં જાંબુને નીચે પાડવા જઈશું, તે કાચાં જાંબુ પણ નીચે તૂટી પડશે, તે કરતાં જમીન પર પડેલા પાકાં જાંબું જ આપણે વણીને ખાવાં જોઈએ.” આ દષ્ટાંત દ્વારા પરિણામેનું જ્ઞાન થઈ જાય છે અને તેના દ્વારા લેશ્યાઓનું સ્વરૂપ (ભાવ) પણ જાણી શકાય છે. આ સૂક્ષમ પૃથ્વીકાયિક જીવે અતિ સકિલષ્ટ પરિણામવાળા હોય છે. દેવલોકમાંથી એવેલા જીવોની તેમાં ઉત્પત્તિ થતી નથી. તેથી આ જીવોમાં પહેલી ત્રણ-કૃણ, નીલ અને કાપિત–લેશ્યાઓને જ સદ્ભાવ હોય છે. લેસ્થા દ્વાર સમાપ્ત છા આઠવાં ઇન્દ્રિયદ્વાર કા નિરૂપણ (૮) ઇન્દ્રિયદ્વાર–સેવિ મરે ! નવા જ ાિરું પુનરાવું ?" હે ભગવાન! આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીને કેટલી ઇન્દ્રિયેહોય છે? ઈન્દ્ર એટલે આત્મા, કારણ કે સપલબ્ધિરૂપ અધયથી તે સંપન્ન છે. તેથી “ફૂકરનાર્ સુત્રા” આ પ્રકારની તેની વ્યુત્પત્તિ થાય છે. તે આત્માનું જે લિંગ (ચિહ્ન) છે, તેનું નામ ઈન્દ્રિય છે. તે ઇન્દ્રિયના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–(૧)શ્રોત્રેન્દ્રિય (૨) ચક્ષુરિન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય, (૪) રસનેન્દ્રિય, (૫)સ્પશેન્દ્રિય. તે પ્રત્યેક ઈન્દ્રિયના દ્રવ્યેદ્રિય અને ભાવેન્દ્રિય નામના બબ્બે ભેદ પડે છે. દ્રન્દ્રિયના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે-(૧) નિવૃત્તિ અને (૨) ઉપકરણ પ્રતિવિશિષ્ટ સંસ્થા વિશેષનું નામ નિવૃત્તિ છે. નિવૃત્તિના પણ નીચે પ્રમાણે બે ભેદ છે–(૧) બાહ્ય નિવૃત્તિ. (૨) આભ્યન્તરે નિવૃત્તિના, કાનની ઝિલિલી ( ) આદિ રૂપ બાહ્યનિવૃત્તિ હોય છે. તે બાધ્યનિવૃત્તિ વિવિધ પ્રકારની હોય છે, તેથી તેને કઈ ચોક્કસ રૂપે વર્ણવી શકાય તેમ નથી. જેમ કે માણસના કાન અને તેની આંખોની બન્ને તરફની ભમરો, આ બને કાનના ઉપરના બન્ધની અપેક્ષાએ સમાન હોય છે, અને ઘેડાના કાન તેની બને આંખે ઉપર તીક્ષણ અગ્રભાગવાળા હોય છે. સઘળા જીવોની આત્યંતર નિવૃત્તિ એક સરખી જ હોય છે. આસૂત્ર આત્યંતર નિવૃત્તિનું જ પ્રતિપાદન કરે છે. ગૌતમસ્વામીને પ્રશ્ન–“રોહીત if i !ff રંટાળસંહિs got ?” હે ભગવન! જીવાભિગમસૂત્ર ૨૫
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy