SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અનુરાગ રાખીને બરં ” અમૃતની જેમ તેને પોતાની રગે રગમાં ઉતારીને બરા અવંતો ધર્મ પરિણતિ વડે પરિનિષ્ઠિત મતિવાળા સ્થવિરેએ-જ્ઞાન સ્થવિરેને, પરિણત સાધુભાવવાળા આચાર્યોએ-શ્રુતરૂપ ઐશ્વર્યથી સંપન્ન એવા સ્થવિર ભગવોએ “વવાનીરામામળા” જીવાજીવાભિગમ નામનું “અસ” અધ્યયન gugrap” પ્રરૂપિત કર્યું છે. તેમાં એકેન્દ્રિય આદિ જીવોનું અને ધર્માસ્તિકાયાદિ અજીનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી આ પ્રકરણને “જીવાજીવાભિગમ' આ સાર્થક નામ આપવામાં આવ્યું છે, તથા વિશિષ્ટ અર્થધ્વનિના સમુદાય રૂપ હોવાને કારણે આને “અધ્યયન” નામ પણ આપવામાં આવ્યું છે. સૂત્ર ૧ “વિ # નવાનવામિઈત્યાદિ– ટકાથ–બ વાવામિન”—ાથે જોડો જીલ્લાનીવામિનામ ? '' અજવાભિગમ કે સ્વરૂપ કા નિરૂપણ “હે ભગવન ! જીવાભિગમ અને અજવાભિગમનું સ્વરૂપ કેવું છે ?” આ પ્રશ્ન સૂત્ર છે. પ્રારંભમાં થી આ પ્રશ્નસૂત્ર લખીને સૂત્રકારે એ સૂચિત કર્યું છે કે પ્રશ્ન પૂછનાર જે શિષ્ય બુદ્ધિશાળી અને મધ્યસ્થ હોય તેની સમક્ષ જ અહંત ભગવાન દ્વારા પ્રરૂપિત પ્રરૂપણું કરવી જોઈએ-અન્યની સમક્ષ કરવી જોઈએ નહીં. “હે ભગવન ! જીવાજીવાભિગમ શું છે ?” એવું પ્રશ્નસૂત્ર અહીં આપવામાં આવ્યું છે. આ પ્રકારે કઈ શિષ્ય દ્વારા સામાન્ય રૂપે પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે ગુરુ “હે શિષ્ય!આ પ્રકારના સંબોધન દ્વારા તેને આદર કરીને પ્રશ્નને અનુરૂપ જવાબ આપે છે. અહીં તે જવાબ નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે–“નવાઝવામા ન” જીવાજીવાભિગમ બે પ્રકારને કહ્યો છે. તૈના” તે પ્રકારે નીચે પ્રમાણે છે-“ગોવામિણે ચ, અનીવામિ શ” (૧) જીવાભિગમ અને (૨) અજવાભિગમ. અહીં જે બે “ર” ને પ્રયોગ કરવામાં આવ્યો છે, તે એ વાત પ્રકટ કરે છે કે જીવાભિગમ અને અછવાભિગમ, આ બને વાસ્તવિક પદાર્થો છે. તેથી તે બન્ને પ્રધાન જ છે. તે બન્નેમાં કઈ એક પ્રધાન છે અને કોઈ એક ગૌણ છે, એવું નથી. શકા– પ્રહ્મસૂત્રમાં તે “જીવાજીવાભિગમે” સંમિલિત પાઠ જ છે. ઉત્તરસૂત્રમાં પણ “જીવાજીવાભિગમે” એ સંમિલિત પાઠ જ આપ્યો છે. પરંતુ આપના ઉત્તરથી તે અહીં એવું લાગે છે કે આ પાઠ અહીં સંમિલિત નથી, પણ અલગ અલગ છે. તો શું આ પ્રકારે સંમિલિતને બદલે અસંમિલિતનું વિધાન કરવું તે ઉચિત છે ખરું ? * ઉત્તર–અનસૂત્રમાં પણ અસંમિલિત (અલગ અલગ) જીવાભિગમ અને અજવાભિગમને જ પાઠ છે, એમ સમજવું જોઈએ. એટલે કે “જીવાભિગમ શું છે? અને અછવાભિગમ શું છે?, એવા ભિન્ન ભિન્ન પ્રશ્નને જ આપવામાં આવ્યા છે. તેથી અસંમિલિતમાં સંમિલિતનું વિધાન થયું નથી, એવું જ સમજવું જોઈએ. જે સૂ ૨ જીવાભિગમસૂત્ર
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy