SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જનશબ્દને યાવતુ જનસંપાતને સાંભળીને અને જોઈને આ જાતને આધ્યાત્મિક યાવત સંકલ્પ ઉત્પન્ન થયે. અહીં યાવત શબ્દથી “વિત્તિત, પિત, પાર્વત, જનજા' સંકલ્પ માટે આ વિશેષણનું ગ્રહણ સમજવું. આ બધાને અર્થ ૮૩ મા સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવે છે. તેથી જિજ્ઞાસુજનોએ ત્યાંથી જાણી લેવું જોઈએ. " િ ઈત્યાદિ. “જિ” શબ્દ વિતર્ક માટે અને “વષ્ણુ” શબ્દ વાકયાલંકાર માટે પ્રયુકત થયેલ છે. ચિત્રસારથિને જે સંકલ્પ ઉત્પન્ન થયે તેજ આ નિમ્ન શબ્દ વડે પ્રકટ કરવામાં આવ્યું છે કે શું આજે શ્રાવસ્તી નગરીમાં ઈદ્રમહ છે? ઈન્દ્ર શુક્રનું નામ છે. આ શકના નિમિતે ઉજવાયેલ ઉત્સવ ઈન્દ્રમહ છે. “રામ” થી માંડીને “સાબરમ સુધીના બધાં પદેને અર્થ આ પ્રમાણે જ જાણું જોઈએ કંદ કાર્તિકેયનું નામ છે. રુદ્ર મહાદેવનું નામ છે. મુકુન્દ નું નામ છે. નારાયણ વિશ્રવણ કુબેરનું નામ છે, ભવનપતિ વિશેષનું નામ નાગ છે. ભૂત અને યક્ષ એઓ વ્યક્તવિશેષ છે. સ્તૂપ નામચેત્યપ અથવા શિખરનું છે, ચિતસ્થિત સ્મારકચિહ્નનું નામ ચૈત્ય છે. પીપળ વગેરે ઝાડનું નામ વૃક્ષ છે. ગુફાનું નામ દરી છે. ગિરિ પર્વતનું નામ અવટ ગત્ત છે, નદી સર-તળાવ અને સાગર આ બધાના અર્થો સ્પષ્ટ જ છે, ઇતિ શબ્દ અહીં સ્વરુપ નિદેશપરક છે. “વા” શબ્દ સમુચ્ચય માટે વપરાય છે. આ પ્રમાણે વિચાર કર્યો કે શું આજે ઇન્દ્ર મહાદિકમાંથી કોઈ મહત્સવ છે? કે જેથી એ ઘણું ઉગ્ર-ભગવાન આદિનાથ વડે જેમને આરક્ષકપદે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે તેમના વંશના લેક જઈ રહ્યા છે, એઓ ઘણા ઉગ્રપુત્રે-કુમારાવસ્થાપેત ઉગ્રરૂ૫ ઉગ્રપુત્રે જઈ રહ્યા છે, એ ભેગ-આદિનાથ ભગવાને જેમને ગુરુપદે પ્રતિષ્ઠિત કર્યા છે તેમના વંશના લોકો જઈ રહ્યા છે, એ ભેગપુત્રે તેમના કુમારાવસ્થાપન્ન પુત્રે જઈ રહ્યા છે, એ રાજ આદિનાથે જેમને મિત્રપદે પ્રતિષ્ઠિત કર્યા છે તેમના વંશના લેકે જઈ રહ્યા છે, ઈશ્વાકુવંશના લોકો જઈ રહ્યા છે, એ જ્ઞાતવંશીય લેકે જઈ રહ્યા છે, એ કુરુવંશીય લેકે જઈ રહ્યા છે, “નંદા કરવાફg a" અહીંથી આગળ “ત્તિ નાદ” થી માડીને “ ત્તિ શરીર અહી સુધીના સમસ્ત પાઠનુંકે જે ઔયપાતિકસૂત્રમાં શ્રી મહાવીર સ્વામીની વંદના માટે ઉગ્ર-ઉગ્ર પુત્રાદિ ગયા હતા–અહીં ગ્રહણ સમજવું. તેનાથી કેટલાક અશ્વ પર સવાર થઈને કેટલાક હાથી પર સવાર થઈને અને કેટલાક પગપાળા જ ચાલીને તેમજ કેટલાક પિતાનો વિશાળ સમુદાય બનાવીને જુદા જુદા આકારમાં ત્યાં જવા નીકળી રહ્યા છે. આ પ્રમાણે વિચાર કરીને પછી તેણે કચુકીય પુરુષને બોલાવ્યો અને બોલાવીને તેને આમ કહ્યું કે-હે દેવાનુપ્રિય! શું આજે શ્રાવસ્તી નગરીમાં ઈન્દ્રમહ યાવત શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૨૯
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy