SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ રહેશે જ આ કારણથી તે પદ્મવર વેદિકા મેરુની જેમ ધ્રુવ છે, પ્રવ હોવાથી જ નિયત છે. અને પોતાના સ્વરૂપમાં નિયતરૂપથી સ્થિત છે, નિયત હેવાથી જ શાશ્વતી છે. સર્વકાળ (વિદ્યમાન) શીલ છે. શાશ્વતી હોવા બદલ જ અક્ષય ને યથાસ્થિત સ્વરૂપથી તે પરિભ્રષ્ટ થતી નથી એટલે કે તે અવિનાશિની છે. તાત્પર્ય એ છે કે જેમ ગંગા અને સિધુનાં પ્રવાહો નિરંતર પીંડરીક હૃદથી પ્રવાહિત થતા રહે છે છતાં એ તે સ્વરૂપથી સર્વદા અવસ્થિત રહે છે તેમજ પદ્મવરવેદિકા પણ પુદ્ગલોના વિચટન (નાશ) માં પણ તાવન્માત્ર અન્ય પુદગલનું ઉચ્ચટન (ઉત્પન્ન) હોવાથી સર્વદા સ્વરૂપથી અવસ્થિત રહે છે. અક્ષય હોવાથી તે અવ્યય છે-વ્યય રહિત છે કેમકે એના સ્વરૂપમાં સહેજ પણ પરિવર્તન થતું નથી એથી. માનુષેત્તર પર્વતથી બહારના સમુદ્રની જેમ તે સર્વદા સ્વ પ્રમાણમાં સંસ્થિત-અવસ્થિત રહે છે. એથી જ તે ધર્માસ્તિકાયાદિક દ્રવ્યની જેમ નિત્ય છે. એવી તે પદ્યવરવેદિકા એક વનખંડથી ચોમેર પરિણિત છે. પદ્મવરવેદિકાને ચારે તરફથી પરિણિત કરનાર વનખંડ ચકવાલ વિસ્તારની અપેક્ષાથી સહેજ બે યેાજન જેટલાવિસ્તારવાળે છે તેમજ પરિક્ષેપની, અપેક્ષાએ તે ઉપકારિકા લયન જેવો છે. એટલે કે ઉપકારિકાલયનનું પ્રમાણ જેટલું પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેટલું જ પ્રમાણ આના પરિક્ષેપનું છે. આ વનખંડનું વર્ણન કરનાર પાઠ આ પ્રમાણે છે–, swવમા” વગેરે આ પાઠ અહીંથી , ચાવત્ વિન્તિ” સુધી ૬રમા સૂત્રથી માંડીને ૬૮ મા સૂત્ર સુધી પહેલા વર્ણવવામાં આવ્યો છે. આ પ્રમાણે સૂત્રકાર પદમવરવેદિકા અને વનખંડનું વર્ણન કરી ને ફરી ઉપકારિકાલયનનું વર્ણન કરવા માટે “તર ” રૂચારિ સૂત્ર કહે છે. આ સૂત્રમાં તેમણે કહ્યું છે કે ઉપકારિકાલયનની ચારે દિશાઓમાં વિશિષ્ટરૂપ ચુક્ત સોપાનપંક્તિત્રય છે. એનું વર્ણન યાનવિમાનના વર્ણન જેવું જ સમજવું જોઈએ. ૧૨ મા સૂત્રમાં આ વર્ણન કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટરૂપ યુક્ત સયાનપંક્તિત્રની સામે તારણો છે. એમનું વર્ણન “તોરજ ગાળાાિમાસુ ચંમેણુ” આ પાઠથી માંડીને “નાર પરિકવા” પાઠ સુધી પહેલાં કરવામાં આવ્યું છે. પાઠ ૧૩ મા સૂત્રમાં આવેલ છે. આઠ મંગલક દવાઓ, છત્રાતિચ્છ, ઘંટાયુગલ. પતાકાતિપતાકા, ઉત્પલહસ્ત, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુન્ડરીક, મહાપુન્ડરીક શતપત્ર, સહસ્ત્રપત્ર, આ તોરણોની ઉપર છે. એમના વર્ણન સંબંધી પાઠ ૧૪મા સૂત્રમાં છે. આ બધાં સર્વથા રત્નમય છે, અચ્છ, આકાશ, સ્ફટિકની જેમ નિર્મળ છે, યાવત્ પ્રતિરૂપ છે. આ ઉપકારિકાલયનની ઉપર ઊáભાગમાં બહુસમરમણીય ભૂમિભાગ. છે, આ ભૂમિભાગ “સે નાનાનg અઢિપુરૂવા” આ પાઠથી શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧ ૧૯૯
SR No.006441
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages289
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy