SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નાસ્તિકવાદિયોં કે મત કા નિરૂપણ તથા–“અવરે વરિયાવાળો' ઇત્યાદિ ટીકાર્થ–“નવરે તે પૂર્વોક્ત વ્યક્તિથી જુદા જ પ્રકારના “રથિજાવાળો” જે નાસ્તિકવાદી છે-“પરલેક નથી” એ પ્રકારની જેમની માન્યતા છે એવાં, ફક્ત એક પ્રત્યક્ષ પ્રમાણને જ માનનાર ચાર્વાકવાદી, તથા “વામહોરાવ” વામલેકવાદી–વામમાગી, તેઓ સૃષ્ટિમાં રહેલ વસ્તુઓને અસત રૂપે પ્રતિપાદિત કરે છે તેઓ “મMતિ” કહે છે કે “ન0િ વીવો” સુખ દુઃખ આદિ અવસ્થાઓને ભેતા જીવ નામને કઈ પદાર્થ નથી, કારણ કે તે સિદ્ધ કરવા માટેના પ્રમાણેને અભાવ છે. પ્રત્યક્ષ પ્રમાણે તેનું સાધક તે કારણે હતું નથી કે ચક્ષુ આદિ જે ઈન્દ્રિયો છે તે તેને પિતાના વિષય રૂપ બનાવી શકતી નથી. અનુમાનથી તેને ગ્રહણ કરી શકાતું નથી કારણ કે અનુમાનમાં સાધ્ય સાધનની વ્યાપ્તિનું અને પક્ષધર્મતા આદિનું ગ્રહણ થવું આવશ્યક હોય છે, તેના વગર અનુમાન થતું નથી. જે તે વિષયમાં પ્રત્યક્ષ પ્રમાણુ જ પ્રવૃત્ત હોત નથી તે સાધ્ય સાધનની વ્યાપ્તિને ગ્રાહક ત્યાં તે કેવી રીતે થઈ શકે ! મહાનસ આદિમાં સાધ્ય સાધનની વ્યાપ્તિ પહેલાં પ્રત્યક્ષ રીતે ગ્રહણ કરી લીધા પછી તે અનુમાન કરનાર પર્વત આદિમાં અગ્નિનું અનુમાન કરે છે. આગમેનું પ્રમાણ આપીને પણ “જીવ છે તે વાત કહી શકાય તેમ નથી, કારણ કે આગમાં એક મતતા નથી. પરસ્પરથી વિરુદ્ધ અર્થનું-એક બીજાથી વિરોધી તત્ત્વનું–તેઓ વર્ણન-પ્રતિપાદન કરે છે, તે કારણે તેમનામાં પ્રમાણભૂતતા નથી. ઉપમાન પ્રમાણની અહીં પ્રવૃત્તિ તે કારણે થઈ શકતી નથી કે જે “શીવ” પદાર્થ જ અસતુ હોય તો તે ઉપમેય કેવી રીતે થઈ શકે ! આ રીતે જીવ નામના પદાર્થની અસિદ્ધિ થતાં “ર ગાડું :વા ઢો” કઈ પણ આ મનુષ્ય લેકમાં અથવા બીજા દેવાદિ લોકમાં જતું નથી, અને “ના #િત્તિ વિ કુતર પુરાવ” તે પુણ્ય અને પાપ રૂપ કર્મોને સ્પર્શતે નથી, એટલે કે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy