________________
વિચરણ કરવા ચાહું છું. આર્યચંદનબાળા આર્યાએ આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિયે! જેમ તમને સુખ થાય તેમ કરે. આર્યચંદનબાળા આર્યાની આજ્ઞા મેળવી તે કાલી આર્યા પિતાના પૂર્વોક્ત વિચાર પ્રમાણે વિચારવા લાગી. કાલી આર્યાએ આર્યચંદનબાળા આર્યા પાસે સામાયિકાદિક અગીયાર અંગેનું અધ્યયન કરી પૂરાં આઠ વર્ષ સુધી શ્રામસ્યપર્યાયનું પાલન કર્યું. અંતમાં માસિક સંલેખનાથી આત્માને સેવિત કરી સાઠ ભકતને અનશનથી છેદિત કરી જે માટે સંયમ ગ્રહણ કર્યો હતો તે અર્થને પિતાના અંતિમ ઉચ્છવાસનિ:શ્વાસ દ્વારા પ્રાપ્ત કરી સિદ્ધ થઈ ગઈ. (સૂ) ૭)
[ પ્રથમ અધ્યયન સમાત ].
સુકાલીદેવી કા ચરિત્ર
[ દ્વિતીય અધ્યયન ] દ્વિતીય અધ્યયનને પ્રારંભ કરીએ છીએ. જંબૂ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછયુંહે ભદન્ત! ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત અન્તકૃતના આઠમા વર્ગના પ્રથમ અધ્યયનને ભાવ મેં આપના મુખેથી સાંભળે. હવે તે પછી ભગવાને દ્વિતીય અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે?
સુધમાં સ્વામીએ કહ્યું – હે જંબૂ ! તે કાલ તે સમયે ચમ્પા નામે નગરી હતી, તેમાં પૂર્ણભદ્ર નામનું ચિત્ય હતું. તે નગરીના રાજા કેણિક હતા. ત્યાં રાજા શ્રેણિકની લાય અને રાજા કૃણિકની નાની માતા સુકાલી નામની દેવી (રાણી) હતી. જેમ કાલી દેવી પ્રવ્રજિત થઇ તેજ પ્રકારે સુકાવી દેવી પણ પ્રત્રજિત થઈ, અને ચતુર્થભક્ત આદિ ઘણાં પ્રકારની તપસ્યા કરતી વિચારવા લાગી.
ત્યારપછી એક સમય સુકાલી આર્યા જ્યાં આર્યચંદનબાળ આર્યા હતી ત્યાં ગઈ, અને વંદન નમસ્કાર કરી હાથ જોડી બોલી – હે મહાભાગા! આપની આજ્ઞા પ્રાપ્ત કરી કનકાવલી તપસ્યા કરતી વિચારવા ચાહું છું. જવાબમાં તેમણે કહ્યું-જેમ તમને સુખકર પ્રતીત થાય (લાગે) તેમ કરે. પછી તે સુકાલી આર્યાએ જેવી રીતે કાલી આર્યાએ “રત્નાવલી” તપસ્યાની આરાધના કરી હતી તે જ રીતે કનકાવલી તપસ્યાની આરાધના કરી. રત્નાવલીથી કનકાવલીમાં વિશેષતા એ છે કે જ્યાં રત્નાવલીમાં છઠ કરાય છે ત્યાં કનકાવલીમાં અઠ્ઠમ કરાય છે. એક પરિપાટીમાં એક વર્ષ પાંચ માસ અઢાર દિવસ લાગે છે. બાકીનું પ્રથમ અધ્યયનના પ્રમાણેજ જાણવું. એમનું ચારિત્રપર્યાય નવ વર્ષને હતું, અને ત્યારપછી તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો (સૂ૦ ૮)
( દ્વિતીય અધ્યયન સમાપ્ત ]
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર