SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તે કાલ તે સમયે ધર્મના આદિકર શ્રમણ ભગવાન મહાવીર ગુણશિલક ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ્ ભગવાનનાં દર્શનનિમિત્તે પિતપોતાને ઘેરથી નીકળી. પછી ભગવાનના પધાર્યાનું વૃત્તાંત સાંભળી મકાઈ ગાથાપતિ પણ ભગવતીસૂત્રમાં કહેલ ગંગદત્તની પેઠે ભગવાનનાં દર્શન માટે પિતાને ઘેરથી નીકળી ભગવાન પાસે પહોંચીને વન્દના કરી, એવં ભગવાન દ્વારા ઉપદેશાયેલી ધર્મકથા સાંભળી તેમના હૃદયમાં ગંગદત્તની પેઠે વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તેમણે હાથ જોડીને ભગવાનને અર્જ કરી કે હે ભદન્ત! આપનાથી ઉપદેશાયેલી ધર્મકથા સાંભળવાથી મારા હદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે છે. તેથી હું મારા મેટા પુત્રને કુટુંબનો ભાર સેંપીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેવી તમારી ઈચ્છા. ત્યાર પછી તે મકાઈ ગાથાપતિ પિતાને ઘેર ગયા. ગંગદત્તની પેઠે તેમણે પિતાના પુત્રને કુટુંબને ભાર સેંપી દઈ હજાર મનુષ્યએ ઉપાડેલી પાલખીમાં બેસી પ્રવજ્યા લેવા માટે નીકળ્યા અને યાવત્ અનગાર થઈ ગયા. ત્યાર પછી તે મકાઈ અનગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરાની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કર્યું, અને સ્કન્દકની પિઠે ગુણરત્ન તપનું આરાધન કર્યું, તથા સેળ વર્ષ પર્યન્ત દીક્ષા પર્યાયનું પાલન કરી અંતમાં સ્કન્દકની પેઠે જ વિપુલ પર્વત પર સિદ્ધ પદને પ્રાપ્ત થયા. પ્રથમ અધ્યયન સંપૂર્ણ એજ રીતે દ્વિતીય અધ્યયનનાં પ્રારંભવાક્યને પણ પ્રથમ અધ્યયનની સમાન જાણી લેવું જોઈએ. આ અધ્યયનમાં ર્કિકમ ગાથાપતિનું વર્ણન છે. કિકમ ગાથાપતિ પણ મકાઈની સમાન જ પ્રવ્રજિત થયા, તેજ પ્રકારે વિપુલગિરિ પર સિદ્ધ થયા (સૂ) ૨) દ્વિતીય અધ્યયન સમાપ્ત. મુરપાણિ યક્ષાયતન કા વર્ણન અથ તૃતીય અધ્યયન. તૃતીય અધ્યયનને આરંભ આ પ્રકારે કરીએ છીએ, શ્રી જંબુસ્વામીએ શ્રી સુધર્માસ્વામીને પૂછયું – હે ભદન્ત! ભગવાને નિરૂપણ કરેલા અંતકૃત સૂત્રના છઠ્ઠા વર્ગના દ્વિતીય અધ્યયનના ભાવ આપના દ્વારા જાણ્યા, હવે તેથી આગળ ભગવાને નિરૂપણ કરેલા તૃતીય અધ્યયનના ભાવ જાણવા ચાહું છું. શ્રી સુધર્માસ્વામીએ કહ્યુંહે જંબૂ! તે કાલ તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણશિલક નામે ચૈિત્ય હતું. તે નગરના રાજા શ્રેણિક હતા. તેમની રાણીનું નામ ચેલના હતું. તે રાજગૃહ નગરમાં અર્જુન નામે માલી રહેતો હતો. તે માલીની પત્નીનું નામ બંધુમતી હતું, જે અત્યંત સુકુમાર હતી. અર્જુન માલીની માલિકીને એક વિશાળ પુષ્પારામ (ફૂલને બગીચે) રાજગૃહ નગરની બહાર હતે.જે પુષ્પારામ લીલાં પાંદડાંથી આચ્છાદિત હોવાને કારણે આકાશમાં શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર ૪૫
SR No.006436
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy