SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માવતી કા વર્ણન અથ ચતુર્થ વગે. ત્રીજા વર્ગની સમાપ્તિ પછી ચતુર્થવર્ગના પ્રારંભમાં શ્રી જંબૂસ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ જે મુકિતમાં પધાર્યા તેઓએ આઠમા અંગ શ્રી અન્નકૃત સૂત્રના ત્રીજા વર્ગને જે ભાવ કહ્યા તે મેં આપના શ્રીમુખથી સાંભળ્યા. પછી હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે ચતુર્થ વર્ગના ભાવનું નિરૂપણ ક્યા પ્રકારે કર્યું છે, તે કહેવાની કૃપા કરે. આ પ્રકારે વિનયશીલ સુશિષ્ય શ્રી જંબુસ્વામીએ પ્રશ્ન કરવાથી શ્રીસુધર્મા સ્વામીએ કહ્યું:- હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે અન્તકૃતદશા નામના આઠમા અંગના ચતુર્થ વર્ગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે, જેમનાં નામ આ પ્રકારે છે (૧) જાલિ (ર) મયાલિ (૩) ઉપયાલિ (૪) પુરુષસેન (૫) વારિષણ (૬) પ્રદ્યુમ્ન (૭) સામ્બ (૮) અનિરુદ્ધ (૯) સત્યનેમિ તથા (૧૦) દૃઢનેમિ. હે ભદન્ત ! જે મેક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ચતુર્થ વર્ગમાં દશ અધ્યયનું નિરૂપણ કર્યું છે તે તેઓએ પ્રથમ અધ્યયનને શું ભાવ કહ્યો છે? શ્રીસુધર્માસ્વામીએ કહ્યું - હે જંબૂ! ભગવાને ચતુર્થ વર્ગના પ્રથમ અધ્યયનને ભાવ આ પ્રકારે કહ્યું છે : તે કાલ તે સમયે દ્વારાવતી નામે નગરી હતી, (જેનું વર્ણન પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનમાં અપાઈ ગયું છે, અને ત્યાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. (સૂ) ૧) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ३४
SR No.006436
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy