SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારમાં ગૌતમના જેવું જ હતું તે કુમારનું નામ સુમુખ હતું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તે કુમારના વિવાહ પચાસ રાજકન્યાઓની સાથે થયા અને વિવાહમાં કન્યાઓના માતા-પિતા તરફથી પચાસ-પચાસ તરેહના દહેજ કુમારને મળ્યા. થોડા સમય પછી જ્યારે ભગવાન અહત અરિષ્ટનેમિ પધાર્યા ત્યારે તેઓની વાણી સાંભળી ભગવાનની પાસે તેઓ વૈરાગ્યથી પ્રવ્રુજિત થઈ ગયા. થોડાજ વખતમાં તેમણે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું અને વિશ વરસ પર્યન્ત ચારિત્રપર્યાયનું પાલન કર્યું. અંતિમ સમયે સંથારે કરીને શત્રુંજય પર્વત ઉપર મેક્ષને પ્રાપ્ત થયા. હે જબ્બ ! શ્રમણ ભગવાન્ મહાવીરે અન્નકૃતદશા નામે આઠમા અંગના તૃતીયવર્ગ-સંબંધી નવમા અધ્યયનને ભાવ આ પ્રકારે વર્ણન કર્યો છે. (સૂ) ૮) દુર્મુખાદિ કુમાર કા વર્ણન એજ પ્રકારે દુર્મુખ અને કૂપદારક કુમારનાં વર્ણન પણ જાણી લેવા જોઈએ. તેમણે પણ અંત સમયે સંથારા કરીને મેક્ષ પ્રાપ્ત કર્યો હતે. એ બેઉને પિતાનું નામ બલદેવ અને માતાનું નામ ધારિણું હતું. તેમનું આખું ચરિત્ર સુમુખ અનગારને જેવું જ જાણવું જોઈએ. (સૂ) ૧૦-૧૧) દારુક કુમારનું પણ આખું ચરિત્ર સુમુખ કુમારના જેવું જાણવું વિશેષ માત્ર એટલું જ છે કે તેમના પિતાનું નામ વસુદેવ તથા માતાનું નામ ધારિણી હતું. (સૂ૦ ૧૨) આ પ્રકારે અનાદિષ્ટિના પણ ચરિત્રનું વર્ણન જાણવું જોઈએ. તેના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ ધારિણી હતું. હે જબ્બ ! આ પ્રકારે મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અન્તકૃતદશા નામે આઠમાં અંગના તૃતીય વર્ગમાં તેરમા અધયયનના ભાવ કહ્યા છે. (સૂ) ૧૩) ઇતિ તેરમું અધ્યયન સંપૂર્ણ ઇતિ તૃતીય વર્ગ સંપૂર્ણ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૩૩
SR No.006436
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy