SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાએ આપ્યું હતું. અણીયસસેનકુમાર પણ મહાખલની પેઠે મહેલના ઉપલા ભાગમાં હમેશાં ખજતાં રહેતાં મૃદંગા દ્વારા પૂર્વ પુણ્ય-ઉપાર્જિત મનુષ્યસંબંધી ભાગ ભેગવતા રહેતા હતા. તે કાલ તે સમયે અ`તુ અરિષ્ટનેમિ ભલપુરના શ્રીવન નામના ઉદ્યાનમાં પધાર્યાં. ત્યાં શાસ્ત્રોક્તવિધિથી અવગ્રહ લઈને વિચરવા લાગ્યા. જનસમુદાયરૂપ પરિષદ્ ધર્મકથા સાંભળવા પોતપાતાના ઘેરથી નીકળી. અણીયસસેનકુમાર પણ મનુષ્યેાના માટો કોલાહલ સાંભળીને ગૌતમકુમારની પેઠે ઘેરથી નીકળી ભગવાનની પાસે જઇ ધમ સાંભળ્યા અને પછી અનગાર થઇ ગયા. વિશેષ માત્ર એટલુ છે—કે ગૌતમ અનગાર સામાયિક આદિ અગીઆર અંગ ભણ્યા તથા ખાર વર્ષાં સંયમ પાળ્યે, તેમણે સામાયિક આદિ ચૌદ પૂર્વાંનું અધ્યયન કર્યું અને વીસ વર્ષ સુધી દીક્ષા પર્યાય પાળ્યા. ત્યાર પછી શત્રુંજય પર્વતનું આરોહણ કર્યું . માસિક સલેખના દ્વારા માક્ષને પ્રાપ્ત થયા. આ બધું ચરિત્ર ગૌતમનાજ જેવું છે. હે જમ્મૂ ! શ્રવણુ ભગવાન મહાવીરે અન્તકૃતદશા નામના આઠમાં અંગના તૃતીયવ સંબંધી પ્રથમ અધ્યયનમાં અણીયસસેનકુમારના માક્ષરૂપ અનું ઉકત પ્રકારે વર્ણન કર્યું છે. (સૂ॰ ૪) અનન્તસેનાદિ કા ઔર સારણ કા વર્ણન જેવું અણીયસસેનકુમારનું અધ્યયન છે તેવાજ પ્રકારનાં અનન્તસેન, અજિતસેન, અનિહતરિપુ, દેવસેન, શત્રુસેન-નામનાં અધ્યયનાનું વર્ણન જાણી લેવું જોઇએ. આ છએ અધ્યયન એક સરખા પાઠવાળાં છે. તેમનાં માતાપિતા એકજ હતા. ખત્રીસ ખત્રીસ કરોડ સેાનાં તથા ખત્તીસ ૨ મણિમુદ્ર આદિ વિવાહના ઉપલક્ષમાં આ લેઙેને મળ્યા. વીસ વરસ દીક્ષાપર્યાંય પાળ્યે, ચૌદ પૂર્વેનું અધ્યયન કર્યું. શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૧૩
SR No.006436
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy