SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાચાથી પરીક્ષિત આગમ જ પરિશુદ્ધ કહેવામાં આવ્યા છે. અવિરુદ્ધ વચનનું નામ જ આગમ છે. કષ વગેરેથી આગમમાં જે શુદ્ધતા આવે છે તેનુ કારણ નિમિત્તની શુદ્ધિ છે. જિન પ્રણીત વચના જ નિમિત્તશુદ્ધ છે. ખીજાએ વડે પ્રણીત વચના નહિ, નિમિત્તમાં પણ શુદ્ધિનુ કારણ રાગ, દ્વેષ અને મેહનેા અભાવ છે. વચનનુ' અંતરંગ કારણુ બોલનાર જ હાય છે. માલનારા (વક્તા) ની પ્રમાણતાથી જ વચન-આગમમાં પ્રમાણતા આવે છે. એટલા માટે જ રાગ દ્વેષ વગેરેથી કલુષિત માણસાના વચન પ્રમાણુ કેટિમાં આવતાં નથી, કેમકે રાગદ્વેષ વગેરે સદ્ભાવ વચનામાં પરસ્પર વિરુદ્ધ અર્થની પ્રરૂપકતા જાતે જ આવી જાય છે. એટલા માટે આ નિશ્ચિત સિદ્ધાંત છે કે જ્યાં એમના સપૂ અભાવ છે તે જ સાચા આગમના પ્રણેતા થઈ શકે છે અને તે આગમમાંજ અવિરુદ્ધતા છે. એવું અવિરુદ્ધ આગમ જિનપ્રણીત જ થઈ શકે છે, કેમકે તેમનામાં પૂર્વોક્ત રાગદ્વેષ વગેરે વડે અશુદ્ધિના સપૂર્ણ પણે અભાવ થઈ ચૂકયો છે-અશુદ્ધિ સર્વ રીતે મટી જવાથી તેઓ ‘જિન સત્તાવાળા થયા છે. " जयति रागद्वेषमोहरूपान् ગન્તર'પરિવૂન કૃત્તિન્નિનઃ '' રાગદ્વેષ વગેરે જે અંતરંગ શત્રુએ છે તેમના ઉપર જેમણે વિજય મેળવ્યા છે તે જ જિન કહેવાય છે. જેમ તપન (સૂર્ય`) દહન (અગ્નિ ) વગેરે શબ્દો નામ જેવા જ ગુણવાળા હાય છે, તે પ્રમાણે જ “ જિન ” આ નામ પણ નામ પ્રમાણે જ ગુણવાળું છે. જેનું નામ તેવા શુભે હેાવા એ જ નામની સાČકતા છે, જેમણે " આ અતરંગ શત્રુઓને હરાવ્યા નથી, તેમના વચનામાં પરસ્પર અનિરુદ્ધા તા આવી શકતી નથી, કેમ કે ત્યાં નિમિત્તની શુદ્ધિ નથી. એટલા માટે અજિન પ્રણીત વચના અવિરુદ્ધ હાતા નથી. લેાકમાં પણજેમ લીમડાના બીજથી શેરડીની ઉત્પત્તિ જોવામાં આવતી નથી,તેમજ સદોષ કારણથી ઉત્પન્ન થયેલું કાય પણુ નિર્દોષ હોતું નથી, કાર્ટીમાં નિર્દોષતા કારણની નિર્દોષતા ઉપર આધારિત હોય છે. ન્યાયશાસ્ત્રને પણ એજ સિદ્ધાંત છે, ‘ જાળવ વાસ્તુનિષ્ઠાચિહ્નાચ '' કે કાર્ય કારણુના સ્વરૂપના અનુવિધાતા હોય છે. જો આ જાતની વ્યવસ્થા માનવામાં આવે 66 શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૬૦
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy