SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કરી લેજે” તે (gવં ઉમા ) હે માતાપિતા ! આ બાબતમાં મારી એવી માન્યતા છે કે (માજી કાનના મુદ્દે રસાયા વંતાનવા જિત્તાતરા વેરાના શુક્રાણવા નળિયાવા) મનુષ્યભવના કામ અશુચિ છે, અપવિત્ર છે. ઔદારિક શરીર વડે તેમનું સેવન કરાય છે. જ્યારે તે ઔદારિક શરીર જ અશુચિનું ઘર હોવાથી અશુચિ છે, રસ ૧, રુધિર ૨, માંસ ૩ મેદ ૪, અસ્થિ ૫, શુક્ર ૬, અને મજ્જા ૭, આ સાત ધાતુઓથી આ શરીર બનેલું છે. તે શેલેષ્મ, મલમૂત્ર વગેરેથી યુકત છે, સ્નાયુના સમૂહથી વીંટળાએલું છે, હમેશાંને માટે કૃમિ, રેગ વગેરેથી વ્યાપ્ત છે, અને બે કાન, બે આંખો, બે નાસિકા છિદ્રો, મુખ, લિંગ અને પાયુદ્વાર આ નવ અંગેથી સતત મળ વહેતો રહે છે, તો એના ઉપર તાત્વિક દ્રષ્ટિએ વિચાર કરીએ ત્યારે એ જ નિશ્ચય ઉપર અવાય છે. કે આ અપવિત્ર ઔદારિક શરીર દ્વારા ભેગવવામાં આવેલા કામગ શુચિ કેવી રીતે થઈ શકે છે? અશુચિ પદાર્થ વડે અશુચિ પદાર્થને ભેગ જ શક્ય બને છે. એટલે હે માતાપિતા ! મનુષ્યભવના કામગ અપવિત્ર છે, આ તમે નિશ્ચિતપણે જાણીલો. આ મનુષ્યભવના કામ અશાશ્વત છે એટલે કે અલ્પકાલીન છે, વાન્તાસવ છેએટલે કે વમત્પાદક છે. પિત્તાસ્ત્રવ છે-પિત્તો દુગારી છે. ખેલાવસ્ત્ર છે–કફના ઉત્પાદક છે. શુકાસવ-શુક્ર-વીર્યધાતુ વહેવડાવનારા છે-લેહીને વહેવડાવનારા છે. (કુરાશનીવાના) ઉચ્છવાસ અને નિઃશ્વાસના ભયંકર રીતે સંચાલક છે. આ સંસારના ભેગે ભેગવતાં જે વધારે પડતી શ્વાચ્છવાસની ક્રિયા અંદર બહાર આવજા કરે છે, તેના માટે આપણે નિશ્ચિતરૂપે એમ ન કહી શકીએ કે જે શ્વાસ બહાર નીકળી રહે છે, તે ફરી પાછો આવશે જ. એ પણ શકય થઈ પડે કે તે પાછો ન પણ આવે. (સુરતપણુપુરસપૂયવહુપરિપુIT) આ સંસારના કામભાગે મૂત્ર, પુરીષ, પૂર, પીય, જેવા સાવ કુત્સિત પદાર્થોથી યુકત રહે છે. (કુવારપાળ ઝગણધાળળવંતપિત્તાશયમવા) આમાં ઉગાર શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧ ૧૩૧
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy