SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ લીંપીને તેને ઉપલિપ્ત કરે. ગીત નૃત્ય અને વાજાંઓની તુમુલ ઇવનિ દ્વારા તેને પરિગીત' કરે અર્થાત્ ગીત ધ્વનિયુકત બનાવે. એટલે કે સંગાટક, ત્રિક, ચતુષ્ક ચતુર્મુખ અને રાજમાર્ગ વગેરે સ્થાનમાં જે કંઈ પણ કચરો વગેરે હોય તેને હટાવીને એકદમ સફાઈ કરાવે. દર્શકોને બેસવા માટે એક પછી એક મંચની ગોઠવણ કરે, ગોશીર્ષ અને ચન્દન વગેરેથી નગરની દરેક ભીંતને લીપો અને તેને સરસ બનાવે. એગ્ય સ્થાને મંગળકળશ પધરા, દરેક દ્વાર ઉપર તોરણ બંધાવે, માળાઓ લટકાવ પ્રત્યેક સ્થાન ઉપર પુષ્પ પાથરી દે તેમજ જાતજાતના સુગંધિત ધૂપ દ્વારા નગરને સુવાસિત બનાવે. (૪ત્તા વાર પરિણા પર જના माणुम्माणबद्धणं करेह, करित्ता एयमाणत्तियं पञ्चप्पिणह जाव पञ्चप्पिणंति) ત્યારબાદ કેદખાનામાં જેટલા કેદીઓ છે તે બધાને મુકત કરો અને માન ઉન્માનની વૃદ્ધિ કરે, વેચાતી વસ્તુની કિંમત ઘટાડે, આ રીતે અમારી આજ્ઞા મુજબ કામ પુરૂં કરીને અમને ફરી ખબર આપે. આ પ્રમાણે રાજાએ કૌટુંબિક પુરુષને કહ્યું. તેઓ પણ રાજાની આજ્ઞા મુજબ કામ સંપૂર્ણ પણે પતાવીને શ્રેણિક રાજાને ખબર આપી કે તમારી આજ્ઞા મુજબ કામ પૂરું થઈ ગયું છે. (ત તે તેના राया अट्ठारस सेणीप्पसेणीयो सदावेइ सहावित्ता एवं क्यासी गच्छह णं તને વાણજિયા) ત્યારબાદ શ્રેણિક રાજાએ કુંભાર વગેરે અઢાર જાતિ રૂપ શ્રેણિયેને તેમજ તેમની પિટાજાતિ રૂપ પ્રશ્રેણિને બોલાવ્યા. બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે બધા જાઓ અને (રાનિ ન ૩કિમંતર વાણિ િરક્ષાવતાં નદી જિ દિલ કરે) રાજગૃહ નગરની અંદર અને બહાર ધર્મનીતિને અનુસરતા પુત્રજન્મોત્સવની કુળમર્યાદાથી ચાલતી આવેલી વિધિઓ પૂરી કરે એટલે કે પત્ર જન્મના ઉત્સવથી સબંધ ધરાવતી જેટલી વિધિઓ છે તેમની સગવડ કરે. જેમ કે (૩યુદ્ધ ૩૨૨) બજારમાં વેચાણ માટે જે વસ્તુ તમે લાવે તે વસ્તુના ઉપરને કર (ટેકસ) દસ દિવસ સુધી તમારે નહિ આપે. આ પ્રમાણે જ ઘર, ખેતર વગેરેની જે ઉપગમાં આવનારી વસ્તુઓ છે તેમના ઉપર રાજ્ય કર નિયત કરેલ છે તે દસ દિવસ સુધી બધાને માટે માફ કરવામાં આવે છે. (3માં ) રાજાની નવીન આજ્ઞા શરુ થાય ત્યારે તેને દરેક ઘરમાં પહોંચાડવા માટે રાજ્ય તરફથી ભેટ નિયુકત કરવામાં આવે છે, તે હવે દસ દિવસ સુધી કઈ પણ નવી આજ્ઞા રાજ્ય તરફથી બહાર પડશે નહિ, એથી તમે બધા દસ દિવસની રજાઓ ગાળે. (હિન દિન) ગુનેગારોની પાસેથી ગુના બદલ જે દંડ રાજ્યમાં લેવાય છે તે “દંડ” છે તેમજ ગમે તે કારણ દ્વારા માંણસેથી મેટે અપરાધ થઈ જાય છે તે બદલ રાજ્ય તરફથી તેની પાસેથી એક દંડ લેવાય છે તેનું નામ “કુદંડ” છે. અહીં શબ્દ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy