SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“u rદેવ ગોહિલ જમો તવ ના જાવ gaો જવતિ હે ગૌતમ ! ઔવિકના પ્રકરણમાં જે પ્રમાણે ઉત્પાદ વિગેરે સંબંધી કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે તે સઘળું કથન અહિ પણ સસજવું જેમ કે-જ્યારે એ પ્રશ્ન પૂછવામાં આવ્યું કે-ભવસિદ્ધિક કયુગ્મ નૈરયિક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? તે તેનો ઉત્તર એ છે કેતેઓ નરયિક પાંથી આવીને ઉત્પન્ન થતા નથી તથા દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તથા ગર્ભજ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. હે ભગવન આ હલક કૃતયુમરાશિ પ્રમાણવાળા ભવસિદ્ધિક નિયિકે એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! એક સમયમાં તેઓ ચાર, અથવા આઠ અથવા બાર અથવા સેળ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. હે ભગવદ્ આ ભુલક કૃતયુગ્મરાશિ પ્રમાણવાળા ભવસિદ્ધિક નૈરયિકે કેવી રીતે ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! જેમ કોઈ કૂદવાવાળે -કુદતે કૂદતે અધ્યવસાય વિશેષથી નિયતિત કરણના ઉપાયથી આગામી કાળમાં પૂર્વ સ્થાનને છોડીને આગળના સ્થાનને પ્રાપ્ત કરે છે. એ જ રીતે આ નારક કૂદાવાળાની જેમ જ અધ્યવસાય વિશેષથી નિવર્તિત કારણે પાયદ્વારા પૂર્વ ભવને છોડીને પરભવને ભવાન્તર અર્થાત બીજા ભવને પ્રાપ્ત કરી લે છે. હે ભગવન ભવસિહિક ક્ષુલ્લક કૃતયુગ્મ નારક જીની શીઘ ગતિ કેવી હોય છે? અને તે શીધ્ર ગતિને વિષય કે હોય છે ? હે ગૌતમ ! જેમ કોઈ તરૂણ બલવાન પુરૂષ ચૌદમા શતકના પહેલા ઉદેશામાં કહ્યા પ્રમાણે હોય તે ત્યાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે તે નારકો ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં નારકાવાસમાં ઉત્પન્ન થાય છે. આ રીતની શીઘ્રગતિ હોય છે. અને એ જ પ્રમાણે તેઓના શીઘ્ર ગમન વિષય હોય છે. હે ભગવન તે ભવસિદ્ધિક મુલક કૃતયુગ્મ નારક જીવ પરભવની આયુષ્યને બંધ કેવી રીતે કરે છે ? હે ગૌતમ ! અવસાય વેગથી નિવર્તિત કપાયથી તેઓ પરભવના આયુષ્યને બંધ કરે છે. હે ભગવન તે જીવોની ગતિ કેવી રીતે હોય છે? હે ગૌતમ! આયુના ક્ષયથી ભવના ક્ષયથી અને સ્થિતિના ક્ષયથી તેઓની ગતિ થાય છે હે ભગવન તે ભવસિદ્ધિક ક્ષુલ્લક કૃતયુગ્મ નારક છેશું આત્મદ્ધિથી ઉત્પન્ન થાય છે? અથવા પરિદ્ધિથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! તેઓ આત્મઋદ્ધિથી જ ઉત્પન્ન થાય છે. પરદ્ધિથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે ભસિદ્ધિક ક્ષુલક કૃતયુમ નારક છે આત્મકર્મથી ઉત્પન્ન થાય છે? કે ૫ર કર્મથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! તેઓ આત્મ કર્મથી જ ઉત્પન થાય છે. પરકમથી ઉત્પન્ન થતા નથી. હે ભગવન તે ભવસિદ્ધિક ક્ષુલ્લક કૃતયુગ્મ નારક જીવે શું આત્મ પ્રત્યેગી ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૬૫
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy