SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે કે-જેણે ભૂતકાળમાં આયુષ્ય કર્મને બંધ કરેલ હોય છે, તથા વર્તમાન કાળમાં ત આયુષ્ય કમને બંધ કરે પણ છે. અને ભવિષ્યમાં પણ તે આય કર્મને બાંધવાવાળો હોય છે. એ રીતે આ પહેલે ભંગ કહ્યો છે. ૧ બીજા ભંગની અપેક્ષાથી કઈ અસુરકુમાર એ પણ હોય છે, કે જેણે પકાળમાં આયકર્મનો બંધ કર્યો હોય છે. વર્તમાન કાળમાં તે તેને બંધ કરે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરતા નથી એ તે અસુરકુમાર જેને સિદ્ધિ પ્રાપ્ત થવાની હોય છે, એ હોય છે. ૨ ત્રીજે કોઈ અસુરકુમાર એ હેાય છે કે જેણે પૂર્વકાળમાં આયુષ્ય કમને બંધ કર્યો છે, તથા વર્તમાન કાળમાં તે આયુકર્મનો બંધ કરતો નથી. તથા ભવિષ્ય કાળમાં તે આયુકર્મને બંધ કરવાવાળો હોય છે. ૩ તથા કોઈ અસુરકુમાર એ પણ હોય છે, કે જેણે કેવળ ભૂતકાળમાં જ આયુકમને બંધ કરેલ હોય છે, તથા વર્તમાન કાળમાં તે આયુકમને બંધ કરતો નથી. તથા ભવિષ્ય કાળમાં તે આયુકર્મને બાંધવાવાળો હોતો નથી. એ તે અસુરકુમાર પરભવના આયુષ્ય પછી જ મુક્તિ પ્રાપ્ત કરવાવાળા હોય છે. જો કે અસુરકુમારનું કથન નારકેના કથન પ્રમાણે જ પ્રાયઃ સઘળા પદોમાં છે, તો પણ તેના કરતાં અહિયાં આ કથનમાં જે ભિનપણુ છે, તે એવું છે કે-કલેશ્યાવાળા અસુકુમારોને ચારે ભંગ હોય છે, જ્યારે નારક દંડકમાં કૃષ્ણલેશ્યાવાળા નારકે પહેલે અને ત્રીજો ભંગ જ કહ્યો છે. અહિયાં ચારે ભગે હોવાનું કારણ એ છે કે- કૃષ્ણલેશ્યાવાળે અસુરકુમાર પણ મનુષ્ય ગતિની પ્રાપ્તિથી મોક્ષ પ્રાપ્તિની સંભાવનાવાળો હોય છે, પરંતુ કલેશ્યાવાળા નારકમાં એવી સંભાવના રહેતી નથી, તેથી ત્યાં બીજો અને ચૂંથો ભંગ સંભવિત કહેલ નથી, “રેવં ગઠ્ઠા ને ચાળ” તેથી કૃષ્ણલેશ્યાવાળા અસુરકુમાર એ પદ સિવાયના બીજા તમામ જ્ઞાન, વિગેરે પદો નારકને જે પ્રમાણે કહ્યા છે, એ જ પ્રમાણે અસુરકુમારે ને પણ તે સમજવા. “ર્વ =ાવ થયિકુમાર અસુરકુમારના કથન પ્રમાણે યાવત્ સ્વનિત કુમારને પણ સઘળા પદેનું કથન સમજવું અહિયાં યાત્પદથી નાગકુમાર સુપર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, અને વાયુકુમાર આ સઘળા ભવનપતિ ગ્રહણ કરાયા છે, તથા આ સઘળા નાગકુમારે વિગેરેનું કથન આયુબંધના વિષયમાં અસુરકુમારના કથન પ્રમાણે જ સમજવું. A “gઢવીક્રાફવાળ વાવિ રત્તા િસં' પૃથ્વીકાયિક જીવને સઘળા પદમાં ચાર ભંગ હોય છે. “વાં છઠ્ઠાવવા પઢમતામંા” પરંતુ કૃષ્ણપાક્ષિક પૃથ્વીકાય જીવને પહેલે અને ત્રીજો એ બે જ ભંગે હાય છે. તેને “વદત્તાત્ વદનારિ મનાત' એ પ્રમાણેને પહેલે ભંગતે નિશ્ચિત જ છે, અહિયા બીજે ભંગ નિશ્ચિત નથી. કેમ કે-કપાક્ષિક પૃથ્વીકાયિકાજીવ આયને બંધ કરીને પછી પાછો આયુને બંધ કરતે નથી. એ તે હેત શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૮૧
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy