SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાનમાં તે તેને બંધ કરી રહ્યો છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે તેને બંધ નહીં કરે એ રીતને “રજદરો કૂદત્તાતિ, ન મરચતિ આ બીજો ભંગ છે. ૨ તથા કઈ એક જીવે ભૂતકાળમાં જ્ઞાનાવરણીય કર્મને બંધ કર્યો છે, વર્તમાનમાં તે તેને બંધ કરતા નથી પરંતુ ભવિષ્યમાં તે તેને બંધ કરશે. આ રીતે “અવજ્ઞા, વદનાતિ, મતિ ” આ ત્રીજો ભંગ કહ્યો છે. ૩ તથા કોઈ એક જીવે ભૂતકાળમાં જ જ્ઞાનાવરણીય કર્મોને બંધ કરેલ છે, વર્તમાન કાળમાં તે તેને બંધ કરતા નથી અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ કરશે નહીં આ રીતે આ “યવધના, વદત્તાત ન મરથતિ” આ ચોથો ભંગ કહ્યો છે. ૪ આ ચાર ભાગે પૈકી પહેલે ભંગ સર્વથા અભવ્ય જીવની અપેક્ષાથી કહેલ છે. બીજો ભંગ ક્ષયપણાની પ્રાપ્તિને એગ્ય ભવ્ય જીવની અપેક્ષાથી કહેલ છે. ત્રીજો ભંગ ઉપશાન્ત મહિવાળા જીવની અપેક્ષાથી કહેલ છે. અને ચોથો ભંગ ક્ષીણ મેહવાળા જીવની અપેક્ષાથી કહેલ છે. આ કથન સિવાય બીજુ જે કઈ કથન આ જ્ઞાનાવરણીય કર્મના બંધ કરવાના સંબંધમાં કહેલ છે, તે તમામ કથન પાપ કર્મના પ્રકરણમાં કહેલ કથન પ્રમાણે સમજવું તે કથનમાં અને આ કથનમાં જે કાંઈ ફેરફાર છે. તે તે “નવાં ગીવ મg જે ૨ વાર ના રોમપૂસારું પઢાવિત્તિયા મંઆ પાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. આ કથનથી એ સમજાવ્યું છે કે-જીવપદમાં અને મનુષ્યપદમાં સકષાયી–માવત ભકષાયવાળા જીવને આશ્રય કરીને પહેલે અને બીજે એવા બે ભંગ કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે પાપ કર્મના દંડકમાં જીવ પદ અને મનુષ્ય પદમાં સકષાયી પદથી લઈને લોભકષાયી પદ સુધી સૂમસં૫રાયના મોહ રૂપ પાપ કર્મના અબાધકપણાથી પહેલે બીજે ત્રીજો અને ચોથે એ ચાર ભંગ કહ્યા છે, પરંતુ અહિયાં આ જ્ઞાનાવરણીય કર્મના દંડકમાં તે પહેલાના બે ભંગ એટલે કે પહેલે અને બીજે એ બે ભંગે “ગવદ વદત્તાન, મજા. રિ-સવદત્તાત, વદત્તિ, ન મર્યારિ” આ બે જ અંગે કહેલા છે. કેમકેઅવીતરાગ, જ્ઞાનાવરણીય કર્મને બંધક હોય છે. જ્યાં સુધી આત્મામાં વીતરાગ રૂપ સૂર્યને પ્રચંડ પ્રતાપ તપતો નથી, ત્યાં સુધી આત્મામાં જ્ઞાનાવરણીય કમનું બંધકપણું રહે છે. આ રીતે આ બંને પ્રકરણમાં આ વિષયને લઈને અતર રહેલ છે. તે સિવાય બીજું કંઈ જ અંતર નથી. બાકીના સઘળું કથન સરખું જ છે. તેથી તે સમાનપણું ‘વાં તે રેવ જ્ઞાા તેનાળિયા” નારકથી લઈને વૈમાનિકો સુધીના દરેક દંડકોમાં પાપકર્મના દંડક પ્રમાણે જ કહેલ છે. “g રિવાવાળા વિ ટૂંકો માનવો વિવારે શ્રી ભગવતી સૂત્ર : ૧૬ ૧૭૦
SR No.006430
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy