SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ દેશે કેટલા કહયા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે –“g ' હે ગૌતમ અધર્માસ્તિકાયના કથન પ્રમાણે આકાશારિતકાયના મધ્યપ્રદેશો પણ આઠજ કહયા છે. આ આઠ રૂચક પ્રદેશ પર અવગાહના વાળા હોય છે. તેમ સમજવું. અહિયાં જે કે-ધર્માસ્તિકાય વિગેરે લેક પ્રમાણ હોવાથી તેમના મધ્યભાગે રૂચક પ્રદેશથી અસંખ્યાત જન દુર રત્નપ્રભાના આકાશ-અવ કાશમાં આવેલાં છે. રૂચકમાં આવેલ નથી. તે પણ દિશા અને વિદિશાની ઉત્પત્તિનું સ્થાન રૂચક છે. તે કારણથી ધર્માસ્તિકાય વિગેરના મધ્ય ભાગની રૂચકમાં વિવક્ષા કરેલ છે. તેમ સમજાય છે. “ મતે ! કીથિકાચરણ મ#gar પ્રનત્તા હે ભગવન જીવાસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા કહ્યા છે કે “જો મા ! બટું નીવરથwાચસ્થ માણસા ન્નત્તા” હે ગૌતમ ! જીવાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશે કહ્યા છે. અહીંયાં જીવાસ્તિકાયથી પ્રત્યેક જીવાસ્તિકાયે ગ્રહણ કરાયા છે. તેથી પ્રત્યેક જીવાસ્તિકાયના આઠ આઠ મધ્યપ્રદેશે કહયા છે એવું આ કથનનુ તાત્પર્ય સમ જવું જોઈએ. આ આઠ મધ્ય પ્રદેશો સઘળા અવગાહના ના મધ્યભાગમાં જ હોય છે. તેથી તે મધ્ય પ્રદેશ કહેવાય છે. "एए गं माते ! अट्र जीवस्थिकायस्थ मज्झपएसा कइसु आगासपएसेसु કોળrદંતિ હે ભગવન જીવાસ્તિકાયના આ આઠ મધ્યપ્રદેશ કેટલા આકાશ પ્રદેશે'માં સમાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો ! जहन्नेण एक सिवा दोहिं वा तोहि वा चउहि वा पचहि वा छहिंवा उक्कोसेणं अदुस તો રેવાં પત્ત, હે ગૌતમ ! જીવાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશ જઘન્યથી એક આકાશ પ્રદેશમાં પણ સમાઈ શકે છે. બે આકાશ પ્રદેશોમાં પણ સમાઈ શકે છે. ત્રણ આકાશપ્રદેશમાં પણ સમાય છે. ચાર આકાશ પ્રદેશેમાં પણ સમાય છે પાંચ આકાશપ્રદેશોમાં પણ સમાય છે, છ આકાશ પ્રદેશમાં પણ સમાઈ શકે છે. અને ઉત્કૃષ્ટથી આઠ આકાશ પ્રદેશમાં પણ સમાઈ શકે છે. પરંતુ સાત આકાશ પ્રદેશમાં સમાય શકતા નથી તેનું કારણ એવું છે કે-જીવપ્રદેશ ને સ્વભાવ સંકેચ અને વિસ્તારરૂપ હોય છે. તેથી ઓછામાં ઓછા એક પ્રદેશથી લઈને ૬ આકાશ પ્રદેશોમાં પણ સમાઈ શકે છે. અને વધારેમાં વધારે આઠ પ્રદેશમાં સમાય શકે છે. પરંતુ વસ્તુસ્વભાવ એ હોવાથી તે સાત આકાશ પ્રદેશમાં સમાતા નથી. મને મત્તિ” હે ભગવન્ આપી દેવાનું પ્રિયે જે આ કથન કર્યું છે. તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે કેમકે–આત વાક્ય નિબંધ હોય છે. આ પ્રમાણે કહીને છે શ્રીગૌતમ સ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તપ અને શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૮૨
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy