SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદેશાર્થ સંગ્રહ ગાથા કાકથન ઓગણીસમા શતકના પહેલા ઉદ્દેશાને પ્રારંભઅઢારમા શતકની પ્રરૂપણા કરવામાં આવી ગઈ છે. હવે આ એગણસ માં શતકની પ્રરૂપણ કરવામાં આવે છે. આ શતકના ઉદ્દેશાઓના અર્થની પ્રરૂપણ કરવામાં આવે છે, તેને સંગ્રહ કરીને બતાવનારી ગાથા આ પ્રમાણે છે-રિવાર જમ” ઈત્યાદિ. લેશ્યા નામને પહેલે ઉદેશે છે. ગર્ભ નામને બીજો ઉદ્દેશો છે. પૃથિવી નામને ત્રીજો ઉદેશ છે. મહાભ્રવ નામનો ચોથો ઉદ્દેશ છે. ચરમ નામને પાંચમે ઉદ્દેશ છે. દ્વીપ નામનો ઉદ્દો ઉદ્દેશ છે. ભવન નામને સાતમે ઉદ્દેશ છે. નિવૃત્તિ નામને આઠમે ઉદ્દેશ છે. કરણ નામને નવમો ઉદેશે છે અને વનચર સુર નેમને દશમે ઉદ્દેશ છે. ટકાથ–લેશ્યા નામના પહેલા ઉદ્દેશામાં લેશ્યાઓના વિષયમાં વિચાર કરવામાં આવ્યું છે. તેથી તેનું નામ લેસ્યા ઉદ્દેશ એ પ્રમાણે પડયું છે. ગનામના ઉદેશામાં ગર્ભના વિષયમાં વિચાર કરવામાં આવ્યું છે તેથી તે ઉદ્દેશાનું નામ ગભ ઉદ્દેશે એ પ્રમાણે થયું છે. પૃથિવી નામના ઉદ્દેશામાં પૃથિવીકાયિકના સંબંધમાં કથન કહેવામાં આવ્યું છે, જેથી આ ઉદ્દેશાનું નામ પૃથિવી ઉદ્દેશ એ પ્રમાણે થયું છે. મહત્સવ નામના ચોથા ઉદ્દેશામાં નારકે મહાસ્ત્રવવાળાં અને મહાકિયાવાળા હોય છે. એ વિચાર કરવામાં આવ્યું છે. તેથી આ ઉદ્દેશાનું નામ મહાસ્રવ એવું થયું છે. ચરમ નામના પૂર્વ ઉદ્દેશામાં અ૫સ્થિતિવાળા નારકની અપેક્ષાથી મહાતિવાળા નારક મહાકિયાવાળા હોય છે, એ વિચાર કરવામાં આવ્યું છે. તેથી આ સંબંધને લઈને આ ઉદ્દેશનું નામ ચરમ ઉદ્દેશ એ પ્રમાણે થયું છે. દ્વિપ નામના ઉદેશામાં દ્વીપ વિગેરેને વિચાર કરવામાં આવે છે. તેથી આ સંબંધને લઈને આ ઉદેશાનું નામ દ્વીપ એ પ્રમાણે થયું છે. ભવન નામને સાતમે ઉદ્દેશ છે. તેમાં ભવન સંબંધી વિચાર કરવામાં આવ્યું છે. તેથી આ સંબંધને લઈને આ ઉદ્દેશાનું નામ ભવન ઉદ્દેશ એ પ્રમાણે થયું છે. નિવૃતિ નામના આઠમાં ઉદ્દેશામાં એકેન્દ્રિય વિગેરે જીવની ઉત્પત્તિના વિષયમાં વિચાર કરવામાં આવે છે. તેથી ઉદ્દેશાનું નામ નિવૃત્તિ એ પ્રમાણે થયું છે. કરણ નામના નવમાં ઉદ્દેશામાં દ્રવ્ય વિગેરે કરણના વિષયમાં વિચાર કરવામાં આવ્યું છે. તેથી આ ઉદ્દેશાનું નામ કરણ ઉદ્દેશ એ પ્રમાણે થયું છે. અને દશમાં ઉદ્દેશામાં વનચર સુર વાનવ્યન્તર દેવના સંબંધમાં વિચાર કરવામાં આવ્યો છે. તેથી આ ઉદ્દેશાનું નામ “વનચરસુર એ પ્રમાણે થયું છે. આ રીતે ઓગણીમા શતકમાં આ દશ ઉદેશાઓ છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ८४
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy