SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય અથવા તિર્યંચની પર્યાયમાં રહેલો છે. ભવ્યદ્રવ્યનરયિક છે. જેમ ભવિષ્યમાં જેને રાજગાદી મળવાની હોય, હજી મળી ન હોય, એવા રાજપુત્રને વ્યવહારમાં રાજા કહેવામાં આવે છે. એ જ રીતે અહિયાં પણ જેને ભવિષ્યમાં નારકપણાથી ઉત્પન્ન થવાનું છે, એવા જીવને પણ વ્યવહારથી ભવ્ય દ્રવ્ય નારક કહેવામાં આવે છે. તે કારણથી હે ગૌતમ! મેં પણ તેવા જીને કે જે પંચેન્દ્રિય તિર્યંચ હોય કે મનુષ્ય હોય તેવા ભવિષ્યમાં નારકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોવાને કારણે ભવ્યદ્રવ્યનરયિક કહ્યા છે. જેથી ભવ્ય દ્રવ્ય નરયિક છે, તેમ માનવું જોઈએ. પ્રભુને ગૌતમસ્વામીએ જે એવું પૂછયું છે કે––ભવ્યદ્રવ્ય નૈરયિક કેણ હોય છે? અને ભવ્યદ્રવ્ય નરયિક તેવી તેમની સંજ્ઞા કેમ થઈ છે? એ બને પ્રશ્નોનું પૂર્વોક્ત કથનથી સમાધાન કર્યું છે. દેવ મરીને નારક થતા નથી. અને નારક મરીને દેવ અગર નારક થતા નથી. તેથી તે બન્નેને અહિ છોડી દીધા છે. તેજ કારણથી “સિરિતોળિg વા મgણે વા” એવો પાઠ સૂત્રકારે કહ્યો છે, એ રીતે ભવ્યદ્રવ્યનરયિક મનુષ્ય અને તિર્યંન્ચ હોય છે. એ સિદ્ધ થાય છે. તથા આ રીતની તેમની સંજ્ઞા હોવાને કારણે ભવિષ્યકાળમાં તેઓને નારક પર્યાયથી ઉત્પન્ન થવાનું છે. “વં કાર ગિરનાળ” આજ રીતે અસુરકુમારથી આરંભીને સ્વનિતકુમારોના ઉપપાતના સંબંધમાં કથન કરી લેવું. ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“થિ નં મં! રિ રાવપુકવીરા ” હે ભગવન્ ભવ્યદ્રવ્યપૃથ્વીકાયિક ર છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “દંત શ?િ હાં ગૌતમ! ભવ્યદ્રવ્યપૃથ્વીકાયિક છે. તેનું કારણ જાણવાની ઈચ્છાથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “જે દેf મંતે વર્ષ ગુરૂ મવિશ્વવુઢવી દારૂચા” ૨ હે ભગવન્ ભવ્યદ્રવ્યપૃથ્વીકાયિક ૨ એ રીતે કહેવાનું શું કારણ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“મા! જે भविए तिरिक्खजोणिए वा मणुस्से वा देवे वा पुढवीकाइएसु उववज्जित्तए" હે ગૌતમ તેનું કારણ એ છે કે--જે તિર્યંચ, અથવા મનુષ્ય અગર દેવ ભવિષ્યમાં પૃથ્વીકાયિકપણુથી ઉત્પન્ન થવાના હોય તે તિયચનિક જીવ અથવા મનુષ્ય અથવા દેવને–ભવ્યદ્રવ્યપૃથ્વીકાયિક એ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. તે જ કારણથી હે ગૌતમ “gવં કુન્નડું વિચસુagઢવી ગયા” તેઓને ભવ્ય દ્રવ્ય પૃથ્વીકાયિક કાા છે. “મારા વનરક્ષwાથા પર્વ જૈવ વવવાળો” ભવ્યદ્રવ્ય અપ્રકાયિક અને ભવ્યદ્રવ્ય વનસ્પતિકાયિકોને પણ આજ રીતે સમજવા. અર્થાત જે પંચેન્દ્રિય તિર્યંન્ચ મનુષ્ય અથવા દેવ ભવિષ્યકાળમાં અપ્રકાયિકમાં અથવા વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થવાના હોય છે, તે પંચેન્દ્રિય તિર્ય-ચ, મનુષ્ય અથવા દેવ ભવ્ય દ્રવ્ય અપકાયિકપણાથી અથવા ભવ્ય દ્રવ્ય વનસ્પતિકાયિકપણાથી વ્યવહારમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૬૧
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy