SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશવાળા કંધ, સંખ્યાત પ્રદેશવાળા સ્કંધ અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધ અને અનંત પ્રદેશવાળા સ્કંધ આ તમામના સંબંધમાં પણ આજ પ્રમાણે તુ કથન સમજવું અર્થાત્ કોઈ એક અવધિજ્ઞાની છઘસ્થ પુરુષ દિપ્રદેશી રકને જાણે તે છે, પરંતુ તેને દેખતે નથી. તથા કોઈ અવધિ જ્ઞાની છદ્મસ્થ પુરુષ તેને જાતે નથી. અને દેખતે પણ નથી. જે રીતે પરમાણ પુદ્ગલેના વિષયમાં તેના જ્ઞાન અને દર્શનના વિષયમાં વિકલપથી તેનું સર્વે હોવાપણું અસત્વ–નહિં હોવાપણું બતાવવામાં આવ્યું છે. તે જ રીતે બે પ્રદેશવાળા સ્કંધથી આરંભીને અનંત પ્રદેશવાળા સ્કધ સુધીના વિષયમાં પણ તેના જ્ઞાન દર્શનનું સત્વ-હેવાપણું અને અસત્વ--નહીં હેવાપણું વિકલ્પથી સમજી લેવું. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે--જામાદિ મંતે! ખૂણે હે ભગવન જે માણસ પરમાધવધિજ્ઞાની છે, તે “પામવાસં સં સમાં જાગરૂ” જે સમયે પરમાણુ પુલને જાણે છે, તે જ સમયે જોઈ શકે છે? અથવા જે સમયે તેને દેખે છે, તે જ સમયે શું તેને જાણી શકે છે? આ પ્રશ્નને હેત એ છે કે--દર્શનના સમયમાં જ્ઞાન અને દર્શન શું એક જ સમયમાં થાય છે? અથવા નથી થતા? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--“ છૂટ્ય સમ” હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. અર્થાત્ જ્ઞાન અને દર્શન એક જ કાળે થતા નથી. આ વિષયમાં ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે--“ળ મંતે !” હે ભગવન આપ એ પ્રમાણે શા કારણથી કહો છે કે--“માહોgિ of we” જે પરમાવધિક છદ્મસ્થ મનુષ્ય છે, તે પરમાણુ પુલને જે સમયે જાણે છે, તે સમયે તેને તે માણસ જોઈ શકતે નથી. તથા જે સમયે તેને તે જોઈ શકે છે, તે સમયે તેને તે જાણતા નથી. ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે --“ચમા !” ઈત્યાદિ હે ગૌતમ! પરમાવીજ્ઞાનીનું જે જ્ઞાન હોય છે, તે સાકાર હોય છે, અર્થાત્ વિશેષને ગ્રહણ કરવાવાળું હોય છે. તથા તેઓનું જે દર્શન હેય છે, તે નિરાકારણ હોય છે એટલે કે સામાન્યનું ગ્રહણ કરવાવાળુ હોય છે, “રે તેણમાં નાવ નો તે સમયે જ્ઞાનરૂ” તે કારણથી છદ્મસ્થ પુરુષ જે સમયે પરમાણુ પુલને જાણે છે, તે સમયે તે તેને જોઈ શકતા નથી. અને જે સમયે તે તેને દેખે છે, તે સમયે તેને જાણતા નથી. એવું મેં કહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે--જ્ઞાન અને દર્શન સાકાર અને નિરાકાર રૂપ પરસ્પર વિરુદ્ધતાવાળું છે. તેથી તેમાં સમાન કાલપણું હોતું નથી. તેજ કારણથી મેં એવું કહ્યું છે કે જે સમયે તે જાણે છે, તે સમયે તે તેને દેખતે નથી, અને જે સમયે તેને દેખે છે, તે સમયે તેને જાણતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૫૭
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy