SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અમે ચાલીએ છીએ જે તે અશક્ત હોય તે અમો વાહન વિગેરે પર બેસીને ગમન કરતા નથી. તથા વેગને-સંયમ વ્યાપાર માટે અથવા જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે અથવા આહાર પાણી વિગેરે માટે ગમન કરીએ છીએ. પ્રજનન વિના અમે કઈ પણ સમયે આમ તેમ ગમન કરતા નથી. અને ગમન કરતી વખતે પણુ– ઉતાવળા ગમન કરતા નથી. જેડા વિ. પહેરીને ગમન કરતા નથી. તેથી ચાલવા છતાં પણ અમારાથી પ્રાણિ -વધ-હિંસા થતો નથી. તેઓને અમારાથી કોઈપણ જાતનું કષ્ટ પહોંચતું નથી. વિસ્તાર પરિસ્સાર આ પાઠથી ગૌતમ સ્વામીએ એ સમજાવ્યું છે કે–અમે જે માર્ગ થી ચાલીએ છીએ તે માર્ગ જ્યારે સૂર્યના તેજસ્વી કિરણોથી પ્રકાશવાળે થાય છે ત્યારે જ તે માર્ગ પરથી ચાલીએ છીએ. ચાલતી વખતે પણ અમે યતના પૂર્વક ચાલીએ છીએ. અને જીવેની વિરાધના ન થઈ જાય આ વાતની ઘણું જ કાળજી રાખીએ છીએ. ચિત્તની એકાગ્રતા રાખીએ છીએ ચિત્તમાં રાગ, દ્વેષ ને આવવા દેતા નથી. દરેક પદાર્થને ચક્ષુ ઈન્દ્રિય જ્યારે સારી રીતે જોઈ શકે ત્યારે જ અમે ચાલીએ છીએ. જો કે માર્ગમાં કઈ વાર તુષાર (ઝાકળ) વિગેરે પડે છે. પરંતુ તેવા સમયે અમો માર્ગમાં ચાલતા નથી. અને અમારા ચાલ્યા પહેલાં માર્ગ પરથી માણસે, રથ, ઘેડા વિગેરે ચાલતા થઈ ગયો હોય અને તે વાહનાદિના નીકળ્યા પછી જ અમે તે માર્ગે ચાલીએ છીએ. તે માગે થી અમે ગમન કરીએ છીએ. ગમન કરવાના સમયે અમો ઉતાવળ કરતા નથી. તેમ જ અયનનાથી પણ ચાલતા નથી. પરંતુ ધીરે ધીરે જઈએ છીએ અને સામેની ભૂમી પર યુગપ્રમાણ (ચાર હાથ પરિમિત) દષ્ટિથી જોઈને ચાલીએ છીએ ચાલતી વખતે પણ અમે પિતાના શરીરના આગળના ભાગને સંકેચીને ચાલીએ છીએ. તેને હલાવતા કે ડોલાવતા ચાલતા નથી. આ રીતે સૂક્ષમ દષ્ટિથી અને બારીકાઇથી. માર્ગનું અવલોકન કરતાં કરતા ઈસમિતિ પૂર્વક અમે ચાલીએ છીએ જેથી આ પ્રકારની સાવધાનીથી ગમન કરનારા અમારાથી કઈ પણ રીતે જીવહિંસા થતી નથી. તેમજ અમારાથી તેમને પીડા પણ થતી નથી. અને તે અમારા પગ નીચે કચડાતા પણ નથી. તે પછી અમે ત્રણ કરણ અને ત્રણ ચગેથી સંયમના આરાધક કેમ ન બની શકીએ અને કેવી રીતે અને એકાન્તબાલ કહો છે? જેથી એમ માનવું જોઈએ કે અમે આ રીતની પ્રવૃત્તિવાળા હોવાથી ત્રણ કરણ અને ત્રણ વેગથી સંયત છીએ અને એકાન્ત પંડિત છીએ આજ વાત “તt of છે - શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૫૨
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy