SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણિધાન હોય છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“જો મા !” હે ગૌતમ! બે ઈન્દ્રિયવાળા જીવને વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન એમ બે પ્રણિધાન હોય છે. “ જ્ઞાવ વારિરિચાર્ગ” એજ રીતે બે પ્રણિધાન ત્રણ ઈન્દ્રિયવાળા જેને અને ચાર ઈનિદ્રયવાળા જીવોને થાય છે. કેમ કે તેઓને મનનો અભાવ હોવાથી મન:પ્રણિધાન હોતું નથી. શાળ” ઈત્યાદિ આ શિવાયના બાકીના પંચેન્દ્રિય તિર્યંચ, અને મનુષ્યથી લઈને વૈમાનિક દેવ સુધીના જીવોને ત્રણ પ્રકારના પ્રણિધાન હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એકેન્દ્રિય જીને ભેગાધિષ્ઠાન-ભેગભેગવવાના સાધન રૂપ એક શરીર જ હોય છે, મન અને વચન તેઓમાં હોતા નથી. તેથી તેઓને એક કાયપ્રણિધાન જ હોય છે તથા હીન્દ્રિયથી લઈને ચૌઈન્દ્રિય સુધીના જીને ભેગાધિષ્ઠાન રૂપ શરીર અને વચન હોય છે. તેથી તેઓને વચન અને કાય એ બે પ્રણિધાન કહેવામાં આવેલ છે. તે શિવાયના છાને મન, વચન અને કાય રૂપ ત્રણે પ્રણિધાન થાય છે. એજ વાત “રાવ વિનાળિયા” એ સૂત્રાંશ દ્વારા બતાવેલ છે. અહિ યાવત પદથી પંચેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય, ભવનપતિ, વાનવંતર, અને જ્યોતિષ્કનું ગ્રહણ થયેલ છે, આ રીતે સામાન્ય પ્રકારથી પ્રણિધાનની પ્રરૂપણ કરીને પ્રણિધાનના ભેદ રૂપ જે દુપ્રણિધાન છે, તેની પ્રરૂપણ કરવામાં આવે છે. આ વિષયમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“વળે મરે! zgfiાળે પન્ન” હે ભગવન દુપ્રણિધાન કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ોમા! રિવિ દુનિહાળે હે ગૌતમ! દુપ્રણિધાન ત્રણ પ્રકારનું કહેવામાં આવેલ છે. “i ago જેમ કે–મને દુપ્રણિધાન, વાદુપ્રણિધાન અને કાય દુપ્રણિધાન મન, વચન, અને કાય જ્યારે સાવધ પ્રવૃત્તિમાં લાગી જાય છે. ત્યારે તેઓ આ દુપ્રણિધાનવાળા બની જાય છે. મન વચન અને કાય એ પિતે ત્રણ છે છે તેથી તેના સંબંધી જે દુપ્રણિધાન હોય છે, તે પણ ત્રણ જ હોય છે. કહે નિફોળ ૨ મો મળો તહેવ ટુગિહૃાોળ વિ માનશદરો જે રીતે પ્રણિધાનને ઉદ્દેશીને દંડક કહેલ છે. તેજ રીતે દુપ્પણિ ધાનના વિષયમાં પણ દંડકે સમજી લેવા. કહેવાનું તાત્પર્ય એ છે કેનારક છથી આરંભીને વૈમાનિક સુધીના જીવન વિષયમાં પ્રણિધાનને આશ્રય કરીને દંડક કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે દુપ્રણિધાનના વિષયમાં પણ દંડકોનો વિચાર સમજ. અર્થાત્ એકેન્દ્રિય જીને કાય૩૫ એક જ પ્રણિધાન હોય છે. અને હીન્દ્રિયથી લઈને ચાર ઈન્દ્રિયવાળા ને વચન અને કાય રૂ૫ બે પ્રણિધાન હોય છે. અને તિય"ચ પંચેન્દ્રિયથી આરંભીને વૈમાનિક સુધીના માં મન, વચન, અને કાયરૂપ ત્રણે પ્રણિધાન કહ્યા છે. એ જ રીતે દુપ્રણિધાનના વિષયમાં પણ આ પ્રમાણે જ સઘળું કથન સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૩૧.
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy