SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ અને વદિપ ધર્મ-પર્યાયને ભાવ પરમાણુ કહેવામાં આવે છે. દ્રવ્યપરમાણ “ને વિગેરેના ભેદથી ચાર પ્રકારના થાય છે. જો કે દ્રવ્ય પરમાણુ એક રૂપે જ થાય છે. તે પણ વિવાથી તેને ચાર પ્રકારના કહેવામાં આવેલ છે. જે રીતે તલવાર વિગેરેથી લતા-વેલ વિગેરે પદાર્થોનું છેદન કરવામાં આવે છે. તે રીતે દ્રવ્ય પરમાણુનું છેદન કરવામાં આવતું નથી, કેમ કે પર. માણુ અત્યંત સૂક્રમ અવયવ વગરનું હોય છે. તે કારણથી તલવાર વિગેરેથી તેનું છેદન થઈ શકતું નથી. તે કારણે પરમાણુને અર છેધ કહેવામાં આવે છે. તથા “અમે ચામડામાં સેઈ વિગેરેથી જે રીતે ભેદ છિદ્ર કરવામાં આવે છે, તે રીતે પરમાણુમાં ભેદ કરી શકાતા નથી, અર્થાત્ ચામડું અગર વસ્ત્ર વિગેરે અવયવ સાથે જ સોઈ વિગેરેથી અવયવ વિભાગ પૂર્વક ભેદાય છે તે સિદ્ધ છે. પરમાણુ ભેદાતા નથી. કેમકે પરમાણુમાં અવયનો અભાવ છે, તે કારણથી તેને અભેદ્ય કહેવામાં આવે છે. “ક” અવયવ સહિત હવાથી કાષ્ઠ-લાકડા વિગેરે પદાર્થો જ અગ્નિથી બાળી શકાય છે. અવયવ વગરના હેવાથી પરમાણુ બ ળી શકાતા નથી. “મોક' એ જ કારણથી તેને અગ્રાહ્ય કહેલ છે. હાથ અગર ચક્ષ વિગેરે ઇન્દ્રિયે તેને ગ્રહણ કરી શકતા નથી. તેમ તેને જોઈ શકતા નથી તેથી તેને અગ્ર હ્ય કહેલ છે. અવયવ સાથે પદાર્થના જ કે જે સ્કૂલ ભાવ પામે છે. તેનું હાથ વિગેરેથી ગ્રહણ કરાય છે. અને નેત્રાદિ ઈન્દ્રિયો વડે તેને જેવા વિગેરે થઈ શકે છે પરંતુ પરમાણુ તે એવું હોતું નથી તેથી અત્યંત સૂક્ષમ અને અવયવ વગરના હેવાને કારણે જ તે અગ્રાહ્ય હોય છે. “ત્તામાજૂ of મંતે ! વિ પs mત્તે ” હે ભગવાન ક્ષેત્રપરમાણુ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-“ચમાં રવિ પન” હે ગૌતમ ક્ષેત્ર પરમાણુ ચાર પ્રકારના કહેલા છે. જે આ પ્રમાણે છે “જળ વિગેરે અનઈ પરમાણુઓમાં સરખી સંખ્યાવાળા અવયનો અભાવ હોય છે. તેથી તેમાં અર્ધો ભાગ હેતો નથી. તેમજ વિષમ સંખ્યાવાળા અવયને પણ તેમાં અભાવ હેય છે. તેથી તેને મધ્યભાગ વગરને “શમશે કહેલ છે. તેમાં એક પ્રદેશ સિવાય બીજા વિગેરે પ્રદેશ હોતા નથી તેથી તેને “ શ' પ્રદેશ વિનાને કહેલ છે. તથા તે વિભાગ વગરનો હોય છે. અર્થાત પ્રદેશના અભાવથી પરમાણુઓને વિભાગ થતો નથી કારણ કે પ્રદેશવાળાઓને જ વિભાગ થઈ શકે છે. પરમાણુઓના બે વિગેરે પ્રદેશ હેડતા નથી, તેથી તેને વિભાગ થઈ શકતે નથી, તેથી તેને “વિમાન વિભાગ વગરને કહેવામાં આવે છે. શાસ્ત્રારમજૂ vi અંતે ! વિષે પ્રજ” હે ભગવદ્ કાલપરમાણુ કેટલા પ્રકારના કહ્યા છે? આ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૩૩૪
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy