SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ જાણે આ રીતે સ્પશને લઈને નવ ભંગ બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-બે પ્રદેશી પર્શમાં ૪ ચાર ભંગ ત્રણ સ્પર્શમાં ૪ ચાર ભંગ અને ચાર સ્પર્શોને એક ભંગ થાય છે. એ રીતે કુલ મળીને સ્પર્શના ૯ ભંગ બને છે. - દ્વિદેશી સ્કંધમાં વર્ણ, ગંધ, રસ સ્પર્શોને કમથી બતાવીને હવે સૂત્રકાર ત્રણ પ્રદેશવાળા સ્કંધમાં કમથી વદિ પ્રકાર બતાવવા માટે સૂત્ર કહે છે. તેમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે –“તિcifસર જો અરે! વધે ” હે ભગવન ત્રણ પ્રદેશવાળ જે સ્કધે છે અર્થાત ત્રણ પરમાણુના સંગથી બન્યા છે. તે કેટલા વર્ણવાળા, કેટલા ગંધવાળા કેટલા રસવાળા અને કેટલા સ્પર્શીવાળા હોય છે. અર્થાત્ જે સ્કન્દ રૂપ અવયવીને ત્રણ પરમાણ રૂપ પ્રદેશ અવયવ રૂપે છે, એવા એ ત્રણ પ્રદેશવાળા કંધમાં કૃષ્ણાદિ કેટલા વર્ષો, સુંગધ વિગેરે કેટલા ગ છે તીખા, કડવા વિગેરે કેટલા રસે અને કર્કશ નિગેરે કેટલા સ્પર્શે હેાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે– 11 સટ્ટાક્ષમય જીરે ગાવ જાણે gov?’ હે ગૌતમ ! યાવત તે ચાર સ્પર્શીવાળા હોય છે. એટલા સુધીના પાઠ દ્વારા ૧૮ અઢારમાં શતકના છઠ્ઠા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, તેજ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજી લેવું ત્યાંને તે પાઠ આ પ્રમાણે છે. “તિ પાક્ષિા મેતે ! વધે શરૂવને' ઈત્યાદિ उ० गोयमा ! सिय एगवण्णे सिय दुवण्णे, सिय तिवण्णे, सिय एग गंधे, सिय दुगंधे, सिय एगरसे, सिय दुरसे, सिय तिरसे, सिय दुफासे, હિરા ઉતારે, રિચ વરઘાણે, ગૌતમ સ્વામીએ જ્યારે પૂર્વોક્ત રીતે પ્રભુને પૂછ્યું કે હે ભગવન ત્રણ પ્રદેશવાળા કઈ કેટલા વર્ણ વિગેરે ગુણવાળો છે? તે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ત્રણ પ્રદેશવાળે કંધ કદાચિત્ એક વર્ણવાળે પણ હોય છે. કેઈવાર બે વર્ણવાળા પણ હોય છે અને કદાચિત ત્રણ વર્ણવાળા પણ હોય છે. તેમજ કદાચિત તે એક ગંધ ગુણવાળો પણ હોય છે, કદાચિત તે બે ગધ ગુણવાળો પણ હોય છે. કદાચિત તે એક રસવાળો હોય છે અને કદાચિત તે બે રસવાળી પણ હોય છે અને કદાચિત્ તે ત્રણ રસવાળે પણ હોય છે. કદાચિત્ તે બે સ્પર્શેવાળે હોય છે કે ઈવાર ત્રણ પશેવાળો હોય છે કઈ વાર ચાર સ્પર્શેવાળ પણ હોય છે. હવે આ પ્રકરણના મૂળપાઠને લઈને આ વિષયની વ્યાખ્યા કરવામાં આવે છે “ gram, fણય 80 લાવ યુ૪િ જે તે ત્રણ પ્રદેશવાળે કંધ એક વર્ણવાળે હોય તે તે કદાચિત લાલ વર્ણવાળે હાઈ શકે છે. કદાચિત પીળા વર્ણવાળે હોઈ શકે છે. અને કોઈવાર તે વેતધોળા વર્ણવાળે હોઈ શકે છે. એ જ રીતે તે એક વર્ણ વાળા હવાના વિષયમાં ૫ પાંચ ભંગ બને છે. એ ૫ પાંચ અંગે એ માટે થાય છે કે-એ ત્રણ પ્રદેશવાળા કંધના એ ત્રણ પરમાણુઓમાં પાંચ વર્ણોમાંથી કેઈ એક જ વણ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧ ૭૧
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy