SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-રાવા મેતે ! –નિવારે વેર વેતિ !” હે ભગવન નૈરયિકે શું જ્ઞાનપૂર્વક વેદનાને અનુભવ કરે છે? અથવા અજ્ઞાનપૂર્વક વેદનાને અનુભવ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જ્ઞા પત્રવળા” હે ગૌતમ! વૈમાનિ સુધીમાં પ્રજ્ઞાપનાના ૩૫ પાંત્રીસમાં વેદના પદના ચોથા સૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. આ વિષયમાં પણ તેજ પ્રમાણેનું કથન કરી લેવું ત્યાં આ પ્રમાણે કહેલ છે. “જોયા! નિરાધે કિ વેચળું વેતિ, અનિવાર્ય ઉપ વેચળ વેઈતિ” ઈત્યાદિ કહેવાનું તાત્પર્ય એ છે કે-નારકે જ્ઞાનપૂર્વક અથવા સમ્યક વિવેક પૂર્વક સુખ અને દુઃખ વિગેરેનું વેદન કરે છે. અને અજ્ઞાન પૂર્વક પણ અથવા સમ્યફ વિવેક વિના સુખ અને દુઃખાદિનું વેદન કરે છે. જે નારક સંજ્ઞી જીવની પર્યાયથી કરીને નરકમાં ઉત્પન્ન થાય છે, તેને સુખ દુઃખને અનુભવ જ્ઞાનપૂર્વક થવાથી નિદા વેદના થાય છે. તથા જે નારકે અસંજ્ઞી જીવની પર્યાયને છોડીને નારકમાં ઉત્પન્ન થાય છે. તેને સુખદુઃખને અનુભવ અજ્ઞાનપૂર્વક થાય છે, તેથી તેને અનિદા વેદના થાય છે. તથા નારકોની જેમ જ અસુરકુમાર વિગેરે દેશમાંદિ પણ નિદા અને અનિદા વેદનાની વ્યવસ્થા સમજવી. પૃવિકાયથી આરંભીને ચાર ઈન્દ્રિયવાળા જીને અનિદા વેદના જ હોય છે. તથા પંચેન્દ્રિય તિય અને મનુષ્યોને તથા વાનવ્યંતરેને નારકેની જેમ નિદા અને અનિદા એ બન્ને પ્રકારની વેદના હોય છે. તિષ્ક અને વૈમાનિકને પણ અને પ્રકારની વેદના થાય છે. માયિ. મિથ્યાદષ્ટિ દેવેને જે વેદના થાય છે. તે સમ્યક્ વિવેક વિનાની હોવાના કારણે અનિદા વેદના જ થાય છે. અમાયિ સમ્યગૃષ્ટિ દેવોને જે વેદના થાય છે તે નિદા વેદને જ થાય છે. કેમ કે તેઓ સમ્યક્ દષ્ટિવાળા હોય છે. ઈત્યાદિ આ સર્વ કથન પ્રજ્ઞાપના સૂત્રના ૩૫ પાંત્રીસમા વેદના પદથી સમજી લેવું. અહિયાં તે સંક્ષેપથી આ વિષય મેં બતાવ્યો છે. “સેવં મંતે સેવં મંતે ત્તિ હે ભગવન વેદનાના વિષયમાં આપે જે પ્રમાણે કહ્યું છે, તે સર્વથા સત્ય જ છે. હે ભગવન્ આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. એ સૂ. ૨. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ઓગણીસમા શતકને પાંચમે ઉદ્દેશક સમાસા૧–પ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૨૦
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy