SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ બને હાથ જોડીને ઘણું જ વિનય સાથે પ્રભુને આ પ્રમાણે પૂછયું- “અંતે ! કાર ચત્તાર વંa gઢવીwrgયા ઉજાયો' અહિયાં કઈ કઈ ઠેકાણે આ ગાથા લખેલી મળે છે, “ સિવ૧ ફેર” ઈત્યાદિ વાત્ત વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, ગ, ઉપયોગ, કિમહાર, પ્રાણાતિપાત, ઉતપાત, સ્થિતિ, સમુદ્દઘાત, અને ઉદ્વર્તના આ બાર દ્વાર પૃથ્વીકાયિકોથી લઈને વનસ્પતિકાયિક સુધીમાં કહેવામાં આવે છે. તેમાંથી પહેલું દ્વાર જે “રા' છે, તેને ઉદ્દેશીને ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછવું છે કે-હે ભગવન કઈવાર બે અગર ત્રણ અથવા ચાર અથવા પાંચ પૃથ્વીકાયિક જીવે એકદા થઈને-મળીને સાધારણ શરીરનો બંધ કરે છે? આ પ્રશ્ન પૂછવાને હેતુ એ છે કે જે કે પ્રાયઃ બધા જ પૃથ્વીકાયિક જીવો પ્રત્યેક શરીરને બંધ કરે છે. એ વાત તો સિદ્ધ જ છે. પરંતુ તે બે, ત્રણ, ચાર પાંચ વિગેરે પૃથ્વીકાયિક જીવો પરસપરમાં મળીને શું એવું કરી શકે છે કે–તેઓ સાધારણ એક પણ શરીર પહેલેથી જ તાયેગ્ય પુતલેને ગ્રહણ કરીને બન્ધ કરી લે? અને “વંધત્તા તો પછી આપતિ’ બંધ કર્યા પછી તે આહાર ગ્રહણ કરે. કેમ કે આહાર તો તેના વિશિષ્ટ શરીર બન્ધના સમયમાં જ કરેલો હોય છે. તથા ગ્રહણ કરેલ આહારને તે પરિણુમાવે અને તે પછી તે પૂર્વની અપેક્ષાએ શરીરને વિશિષ્ટ બંધ કરી લે છે? અહિયાં પાંચ એ ઉપલક્ષણ પદ છે, તેથી ઘણુ પૃથિવીકાયિકનું ગ્રહણ થાય છે. તેમ સમજવું. આને સંક્ષેપ અર્થ આ પ્રમાણે છે કે-શું અનેક પ્રથ્વિકાયિક જી પહેલાં એક સાધારણ શરીરને બંધ કરે છે? શરીરના બંધ કર્યા પછી તે વિશેષ પ્રકારના આહારને ગ્રહણ કરે છે? આહારને ગ્રહણ કરીને ગ્રહણ કરેલા તે આહારને પરિ. ગુમાવે છે? અને પરિણુમાવીને વિશેષ રૂપથી શરીરને બંધ કરે છે? એમ તો સામાન્ય રૂપથી સઘળા સંસારી જીને પ્રતિસમય નિરંતર આહારનું ગ્રહણ તે થાય છે જ તેથી પ્રથમ સામાન્ય શરીરના બંધન સમયે પણ આહાર તે ચાલુ જ રહે છે. તે પણ અહિયાં જે એ પ્રશ્ન કરેલ છે કે તે પહેલાં શરીરનો બંધ કરે છે, તે પછી આહાર લે છે? એવો જે આ પ્રશ્ન કરવામાં આવ્યા છે, તે વિશેષ શરીરને ગ્રહણ કરવાની અપેક્ષાથી કરવામાં આવેલ છે. તેમ સમજવું. અર્થાત્ જીવ ઉત્પત્તિના સમયે એજ આહાર ગ્રહણ કરે છે. તે પછી શરીર સ્પર્શ દ્વારા માહાર કરે છે અને તેને પરિણુમાવે છે. પરિણુમાવ્યા પછી તે વિશેષ રૂપથી શરીરને બંધ કરે છે? એ આ પ્રશ્ન છે. આ કથનને હેતુ એ છે કે-પહેલાં બધા જીવે મળીને એકજ શરીર ગ્રહણ કરે છે. તે પછી આહાર ગ્રહણ કરે છે. તે પછી તેને પરીણમાવે છે. તે પછી વિશેષરૂપથી શરીરનું ગ્રહણ કરે છે. તે પછી આહાર કરે છે. અને તે પછી પરિણુમાવે છે. આ પ્રશ્નના શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy