SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ થયા વિના મરતો નથી. “તે મહે! જ રીતે નિત્તમ, શરીર નિત મ” હે ભગવન્! દેખાતા શરીરથી–ધારણ-કરેલ શરીરથી જ્યારે તે વાયુકાય જીવનું નિષ્ક્રમણ થાય છે ત્યારે તે વાયુકાય શું શરીર સાથે જ ત્યાંથી નીકળે છે? કે શરીર વિનાને જ ત્યાંથી નીકળે છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “પૂર્વ ના વં જ્ઞાન નો રીરી નિત્તમ” જેવી રીતે સ્કન્દકના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તેવું જ કથન અહિં પણ સમજી લેવું તાત્પર્ય કહેવાનું એ છે કે કથંચિત્ સશરીરી પણ નીકળે છે. અને કથંચિત અશરીરી પણ નીકળે છે. સશરીરી નીકળે છે એમ કહેવાને હેત એ છે કે તેજસ અને કાર્મણ શરીર અનાદિ કાળથી જીવની સાથે સંબંધિત ચાલ્યું આવે છે અને ત્યાં સુધી જ સંબંધિત રહે છે. કે જ્યાં સુધી જીવની મુકિત ન થઈ હોય એથી અહિયાં એમ કહેવામાં આવ્યું છે કે, કથંચિત જીવ સશરીરી નીકળે છે. અને કઈ વખત શરીર વિના જ નીકળે છે તેને ભાવ એ છે કે ઔદારિક આદિ શરીરથી રહિત થઈને નીકળે છે. એટલા માટે ઔદારિક શરીરને છોડીને પરગતિમાં જતી વખતે પણ તે શરીરી જ કહેવાય છે એ રીતે સશરીરી અને અશરીરી એ બંને પક્ષની સિદ્ધિ થઈ જાય છે. સૂના હુંકારિયા i મતે ! ગાળા દેવચં ૪” ઈત્યાદિટીકાઈ–આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એ પ્રમાણે ७.छे है " इंगालकारियाए णं भंते ! अगणिकाए केवइयं कालं संचिह" હે ભગવન ! અંગારીકામાં (સગડી) અગ્નિકાય કેટલા સમય સુધી રહે છે? “માન રીતિ રિબારિશ” એ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છેકહેવાને હેતુ એ છે કે અગ્નિ જેમા સળગાવવામાં આવે છે, તેવી સગડીમાં સળગાવેલે અગ્નિ કેટલા સમય સુધી સચેતન સળગેલો રહે છે તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-“જોવા !” હે ગૌતમ! “નને સંતોમુહુરં ૩ોલે રિત્તિ વિરાછું” ઉત્પન્ન થતે અગ્નિકાય જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી સચેતન રહે છે અને ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ રાત સુધી રહે છે. તે પછી તે અચેતન થઈ જાય છે, અર્થાત્ તે સગડીમાં ફક્ત અગ્નિકાય જ રહેતા નથી. પરન્ત તેની સાથે “જો વિ તરથ સારા વક્રમ” તેની સાથે બીજા પણ વાયુકાયે રહે છે ઉત્પન્ન થાય છે. કેમકે જ્યાં અગ્નિકાય હોય ત્યાં વાયુકાય પણ અવશ્ય હોય છે. “ર વિના વાડા વિI[ ” વાયુકાય વિના અગ્નિકાય પ્રજવલિત રહિ શકતું નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં અગ્નિકાય છે ત્યાં વાયુકાય પણ જરૂર હોય છે. કેમકે જ્યાં અગ્નિ છે ત્યાં વાયુ પણ હોય છે, એવો નિયમ છે. સૂરા શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy