SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ આલેચના પ્રતિક્રમણ દ્વારા આત્મશુદ્ધિ કરશે અને કાળને અવસર આવે કાળધર્મ પામીને સૌધર્મક૯પમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પળેપમની સ્થિતિવાળા દેવની પર્યાયે ઉત્પન્ન થશે ત્યાંની આયુ સ્થિતિને ક્ષય થતાં ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થશે તેઓ કેવળજ્ઞાન દ્વારા સમસ્ત ચરાચર પદાર્થોને જોઈ શકશે અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વત અને સમસ્ત દુઃખોના અંતર્તા બનશે. આ પ્રકારનું વર્ણન ઋષિભદ્રપુત્ર વિષે ત્યાં કરવામાં આવ્યું છે. એવું જ વર્ણન અહીં શ્રમણે પાસક શંખ વિશે ગ્રહણ કરવું જોઈએ હવે સૂત્રને ઉપસંહાર કરવામાં આવે છે. મહાવીર પ્રભુનાં વચન પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરતાં ગૌતમ સ્વામી કહે છે -બરે એ ! મંતે! રિ ગાય વિ ” “હે ભગવન ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. આપની વાત યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને ભગવાનને વંદણાનમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા, એવા ગૌતમ સ્વામી પિતાના સ્થાન પર વિરાજ. માન થઈ ગયા સૂત્રો નાચાર્ય શ્રી વાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમા શતકને પહેલે ઉદ્દેશક સમાપ્ત ૧૨-૧૨ દૂસરે ઉદેશે કે વિષયોં કા સંક્ષિપ્ત વિષય વિવરણ બારમા શતકના બીજા ઉદ્દેશાને પ્રારંભ બારમાં શતકના બીજા ઉદ્દેશકને સંક્ષિપ્ત સારાંશકૌશામ્બી નગરીનું વર્ણન-ઉદાયન રાજાનું વર્ણન-જયન્તી નામની શ્રાવિકાનું વર્ણન-મગાવતી અને જયન્તીનું મહાવીર પ્રભુને વંદણ કરવા માટે ગમન-જયન્તીના પ્રશ્નોની પ્રરૂપણા-કયા કારણે જીવ ગુરુ કર્મને બન્ધ કરે છે? જીવમાં ભવ્યત્વ સ્વાભાવિક છે, કે પરિણામ જન્ય છે? જેટલા ભવ્ય જીવે છે તેઓ સઘળા શું મેક્ષ પ્રાપ્ત કરશે? જે આ પ્રશ્નનો જવાબ હકારમાં હોય, તે ભવ્ય જી ક્ષે ગયા બાદ શું લેક ભવ્ય જીવોથી રહિત થઈ જશે ? શું સૂર્ય તે શ્રેયસ્કર છે કે જાગવું શ્રેયસ્કર છે? શું સબલતા શ્રેયસ્કર છે કે દુર્બલતા યસ્કર છે? શું આળસ રાહતતા શ્રેયસ્કર છે કે આળસયુકતતા શ્રેયસ્કર છે? ૨૦૫ શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006423
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages241
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy