________________
સં. ૨૦૧૨ના અષાઢ સુધી ૧૫ થી શ્રી વિનોદકુમારે ગોંડલ સંપ્રદાયના શાસ્ત્રજ્ઞ પૂ. આચાર્યશ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યો. તેની સાથે પૂ. આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજના સંસાર પક્ષના કુટુંબી દીક્ષાના ભાવિક શ્રી જ સરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એવો નિર્ણય કરેલ કે આચાર્ય શ્રી પુરુષોતમ મહારાજ પાસે આપણે બનેએ દીક્ષા લેવી, પહેલાં વિનોદકુમારે અને પછી શ્રી જ સરાજભાઈએ દીક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષા તિથિ પૂ શ્રી પુરુષેતમજી મહારાજ સાહેબે સં. ૨૦૧૩ના જેઠ સુદ ૫ ને સોમવારે માંગરોલ મુકામે નકકી કરી શ્રી જસરાજભાઈ વિનોદકુમારને રાજકેટ મળ્યા શ્રી વિનોદકુમારે શ્રી જસરાજ ભાઈની યથાયોગ્ય સેવા બજાવી, માંગરોળ રવાના કર્યા અને પિતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ તેના પિતાશ્રીની એકને એક વાણી સાંભળીને તેમને મનમાં આઘાત થયે અને દીક્ષા માટે તેમણે બીજો રસ્તો શોધી કાઢયે.
પૂજ્યશ્રી લાલચંદજી મહારાજ અને તેમના શિને પરિચય મુંબઈમાં થયેલ હતું અને ત્યારબાદ કોઈ વખત પત્રવહેવાર પણ થતો હતે. છેલા પત્રથી તેમણે જાણેલ હતું, જે પૂ શ્રી લાલચંદજી મહારાજ. ખીચન ગામે પૂ. આચાર્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે પિતાને પિતાશ્રીને આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તે લેવી જ છે આજ્ઞા વિના કેઈ સાધુ મુનિરાજ દીક્ષા આપે નહી અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાર્ય શ્રી પુરુષોતમજી મહારાજ પાસે જવામાં ઘણું વિશ્વના થાશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું.
તા. ૨૪-૫-૫૭ સં. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રોજ સાંજના માતુશ્રી સાથે છેલું જમણ કર્યું. ભેજન કરી, માતુશ્રી સામાયિકમાં બેસી ગયા. તે વખતે કેઈને જાણ કર્યા વગર દીક્ષાના વિદનેમાંથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્ર ભૂમિ અને ગોંડલ સંપ્રદાયને પણ ત્યાગ કરી તેઓ ખીચન તરફ રવાના થયા.
શ્રી વિનોદમુનિના નિવેદન પરથી માલુમ પડયું કે તા. ૨૪-૫-૧૭ના રોજ રાત્રે આઠ વાગે ઘેરથી નીકળી, રાજકેટ જંકશને જોધપુરની ટિકિટ લીધી, તા. ૨૫-૫–૫૭ના સવારે આઠ વાગ્યે મહેસાણું પહોંચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લોન્ચ કરવા માટેના વાળ
ખીને બાકીના કઢાવી નાખ્યાં અને ગાડીમાં બેસી ગયા. મારવાડ જંકશન તથા જોધપુર જંકશન થઈને તા. ૨૬-૫–૫૭ની સવારે 8 વાગ્યે ફલેદી
શ્રી ભગવતી સૂત્ર : ૯