SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ તૃણસ્પર્શ–પરીષહ છે. જલ્લ પરિષહમાં જલ્લ શબ્દ મળ (મેલ) વાચક છે. શરીરે લાગેલા મેલ જન્ય દુઃખને સહન કરવું. શરીર પર ગમે તેટલે મેલ લાગેલ હોય, તે પણ ચિત્તમાં વિક્ષેભ થવા ન દે અને થોડા સ્નાનની કે વધારે સ્નાનની ઈચ્છા નહીં કરવી–સ્નાનને બિલકુલ પરિત્યાગ કરે તેને નામ મલ-જલ પરીષહ છે. જલ શબ્દ ગામઠી શબ્દ છે અને તે મિલ શબ્દને વાચક છે. વસાદિ દ્વારા સત્કાર કરવામાં આવે અને રાજા આદિ દ્વારા અભ્યત્થાન આદિ ૩ સન્માન કરવામાં આવે તે ફૂલાઈ જવું નહીં, અને સત્કાર પુરસ્કાર ન થાય તે ખિન્ન ન થવું તેનું નામ સત્કારપુરરકાર પરીષ છે. સત્કારપુરરકાર પરીષહ ઉપર જેમણે વિજય મેળવ્યા છે એવાં સાધુઓ સ્વપ્નમાં પણ સત્કારપુરસ્કાર ની કામના કરતા નથી. મતિજ્ઞાન-વિશેષરૂપ પ્રજ્ઞાચમત્કારિણી બુદ્ધિને ગર્વ ન કરવો અને તે ન હોય તે મનમાં દુઃખ ન માનવું તેનું નામ પ્રજ્ઞાપરીષહ છે. અત્યાદિ જ્ઞાનરૂપ બુદ્ધિની વિશિષ્ટતાના સદ્દભાવમાં પણ તેનું અભિમાન ન કરવું, અને તે ન હોય તે પિતાને હીન ન માન તેનું નામ નાનપરીષહ છે. સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થવાથી અંગીકાર કરેલે ત્યાગ નિષ્ફળ જત જણાય ત્યારે પણ વિવેકથી શ્રદ્ધામાં અડગતા રાખવી-શ્રદ્ધાને બિલકુલ ડગવા ન દેવી. અશ્રદ્ધારૂપ પરિણામ હોવા ન દેવું, તેનું નામ દર્શનપરીષહ છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“ggi મતે ! જારી પરીક્ષા ફg Hવચડીઓ મોતિ” હે ભદન્ત ! આજે બાવીશ પરીષહ કહ્યા છે, તેમને સમાવેશ કઈ પ્રકૃતિમાં થાય છે. મહાવીર પ્રભુનો ઉત્તર-“જોયા! ” હે ગૌતમ ! “ઘણું જયલીલુ ત્તિ €” તે બાવીશ પરીષહને સમાવેશ ચાર કમપ્રકૃતિયોમાં થાય છે “ નાવળિો , વેચા, મોળ, તરારૂપ” (૧) જ્ઞાનાવરણીય કર્મમાં (૨) વેદનીયકર્મમાં (૩) મેહનીય કર્મમાં અને (૪) અંતરાય કર્મમાં તે ૨૨ બાવીશ પરીષહોને સમાવેશ થાય છે. - ગૌતમસ્વામીને પ્રશ્ન–“નાણાવરબિન્નેવં કંસે મે ઘ vઠ્ઠા મોચાંતિ ?” હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહને સમાવેશ થાય છે? એટલે કે જ્ઞાનવરણીય કર્મના ઉદયમાં કેટલા પરીષહે હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“હો રહા સમોવરિ-રં ” હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મમાં નીચે પ્રમાણે બે પરીષહાને સમાવેશ છે-“TUMારી. નાળva” (૧) પ્રજ્ઞાપરીષહ અને (૨) જ્ઞાનપરીષહુ પ્રજ્ઞાપરીષહ મતિજ્ઞાનાવરણરૂપ જ્ઞાનાવરણમાં સમાવૃષ્ટ થાય છે. તેને સમાવેશ પ્રજ્ઞાના અભાવને અનુલક્ષી સમજવો જોઈએ. કારણ કે જ્ઞાનાવરણ કર્મના ઉદયથી પ્રજ્ઞાને અભાવ સંભવિત હોય છે તથા એવું જે કહેવામાં આવ્યું છે કે “ પ્રજ્ઞાના અભાવમાં દીનતાને ત્યાગ કરવો જોઈએ અને તેના ભાવમાં માનને ત્યાગ શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy