SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શયન કરતા અને પહેરવા માટે એક ખાદીને લેંઘે અને ઝભે વાપરતા, કોઈ વખતે કબજે પહેરતા બહુ ઠંડી હોય તે વખતે સાદે ગરમ કોટ પહેરી લેતા અને મુહપતિ, પાથરણું, રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની ઝોળી સાથે રાખતા સંડાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધીમાં જીવદયાની બરાબર જતના કરતા. દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કોઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈન ધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહીં. દીક્ષાર્થીઓને જલદી દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જંદગીને કેઈ ભરોસો નથી. “સંવષે ગારિય મા જુના આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું સંધાતુ નથી માટે ધર્મકરણીમાં સમયમાત્રને પ્રમાદ ન કરે જઈએ. ગોંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ મુનિવરો અને પૂ. મહાસતીજીઓને તથા બેટાદ સંપ્રદાયના પૂ. આચાર્યશ્રી માણેકચંદજી મહારાજ અને દરિયાપુરી સંપ્રદાયના શાંત-શાસ્ત્રજ્ઞ પૂ. મુનિશ્રી ભાયચંદજી મહારાજ, શ્રમણ સંઘના મુખ્ય આચાર્યશ્રીજી આત્મારામજી મહારાજ તપમય જ્ઞાનનિધિ શા દ્ધારક બા. બ્ર. પૂ. આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાજી મહારાજ વગેરે અનેક સાધુસાધ્વીઓના ઉપદેશને તેમણે લાભ લીધેલ. મુંબઈમાં સં, ૨૦૧૧ સાલમાં શ્રી ધર્મસિહજી મહારાજના સંપ્રદાયના પંડિતરત્ન શ્રી લાલચંદજી મહારાજને પરિચય થયો. લાલચંદજી મહારાજ પિત, સંસારપક્ષના ત્રણ પુત્ર અને બે પુત્રીઓ એમ કુલ ૬ બલકે આખા કુટુંબે સંયમ અંગીકાર કરેલ, તે જાણી તેમને અદ્ભૂત ત્યાગ ભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહીં. આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતાની સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને બેટા ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે પણ મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલચંદજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. આ બેઉ પ્રસંગે પૂર્વ ભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હેઈને વખતે વખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતું, “જે હજુ વાર છે સમય પાકવા દીઓ, જ્ઞાનાભ્યાસ વધારો, શ્રી ભગવતી સૂત્રઃ ૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy