SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોક્ત સાતે પૃથ્વીમાં નરકાવાસ ( નારકીના રહેઠાણ) છે તેથી તે નરકાવાસના આવાસનું વર્ણન કરવાને માટે સૂત્રકાર કહે છે – (इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए कइ निरयावाससयसहस्सा पन्नत्ता?) હે ભગવન! આ રત્નપ્રભાપૃથ્વીમાં કેટલા નરકાવાસો કહ્યા છે? નારકીના છોને રહેવાના સ્થાનને નરકાવાસ કહે છે. (તોય ! તીરં નિરયાવાસણા જન્નત્તા) હે ગૌતમ! પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં તીસ લાખ નરકાવાસો કહ્યા છે. કઈ પૃથ્વીમાં કેટલા નરકાવાસે છે તે આ ગાથા દ્વારા પ્રકટ કરેલ છે–પહેલી પૃથ્વીમાં તીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચેથીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ, છઠીમાં એકલાખમાં પાંચ ઓછા અને સાતમીમાં પાંચ જ નરકાવાસ છે. હવે ભવનપતિઓનું વર્ણન કરવામાં આવે છે (વચા મંતે ! રાહુકુમારાવસાહૂના પત્તા ?) હે ભગવન્! અસુરકુમારનાં કેટલા લાખ આવાસે છે ? (gવું) અસુરકુમારના આવાસની સંખ્યા આ પ્રમાણે કહી છેઅસુરકુમારનાં ચેસઠ લાખ, નાગકુમારોનાં ચોરાસી લાખ, સુવર્ણકુમારનાં બોતેર લાખ, વાયુકુમારેનાં છનું લાખ, તથા દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિદ્યુહુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર, એ છ યુગલોના છેતર (૭૬) લાખ આવાસ છે. અસુરકુમારે બે પ્રકારના હોય છે–એક દક્ષિણ દિશાના અને બીજા ઉત્તર દિશાના. એ વાતને પ્રકટ કરવાને માટે અહીં “યુગલ” પદ મૂકયું છે. તે છએ યુગલમાંના પ્રત્યેક યુગલના છોતેર-તેર લાખ આવાસ હોય છે. અસુરકુમાર વગેરે દસ યુગલના જે દક્ષિણ દિશામાં તથા ઉત્તર દિશામાં અલગ અલગ વિભાગ છે તે આ પ્રમાણે છે-દક્ષિણ દિશા તરફના અસુરકુમારોનાં ચૈત્રીસ લાખ, નાગકુમારેને ૪૪લાખ, સુવર્ણકુમારોનાં આડત્રીસ લાખ અને વાયુકુમારોનાં પચાસ લાખ ભવને છે તથા દ્વિીપકુમાર વગેરે માંના પ્રત્યેકના ચાલીસ ચાલીસ લાખ ભવનો છે. ઉત્તર દિશા તરફના અસુરકુમારનાં ત્રીસ લાખ, નાગકુમારનાં ચાલીસ લાખ, સુવર્ણકુમારનાં ચૈત્રીસ લાખ, અને વાયુકુમારનાં બેંતાલીસ લાખ ભવનો છે. તથા દ્વીપકુમાર વગેરે છમાંના પ્રત્યેકના છત્રીસ-ત્રીસ લાખ ભવનો છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–દક્ષિણ દિશામાં અસુરકુમારનાં સેંત્રીસ લાખ ભવનો છે, અને ઉત્તર દિશામાં તેમનાં ત્રીસ લાખ ભવનો છે. આ રીતે બનેનો સરવાળે ચેસઠ લાખ થાય છે. નાગકુમારના જે ચોરાસી લાખ આવાસ કહ્યાં છે તે આ પ્રમાણે છે-દક્ષિણ દિશામાં ચુમ્માલીસ લાખ અને ઉત્તર દિશામાં ચાલીસ લાખ આવાસ તે બન્ને મળીને ચોરાસી લાખ આવાસ થાય છે. સુવર્ણકુમારોનાં જે બેતેર લાખ આવાસે કહ્યા છે તે આ પ્રમાણે છે-દક્ષિણ દિશામાં તેમનાં આડત્રીસ લાખ ભવન છે અને ઉત્તર દિશામાં સેંત્રીસ લાખ ભવન છે. તે બને મળીને તેર લાખ ભવન થાય છે. વાયુકુમારના જે ૯૬ લાખ આવાસ કહ્યાં છે તેમાંના પચાસ લાખ દક્ષિણ દિશામાં અને શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૫૬
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy