SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ આકારનું હે ય છે, તથા તિર્યું ચે અને મનુષ્યનું અવધિજ્ઞાન વિવિધ આકારનું હોય છે. અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રની અંદર ક્યાં ક્યાં જ હોય છે તથા અવધિક્ષેત્રની બહાર કયાં કયાં જ હોય છે તે વિષય સંબંધી વિચાર અભ્યન્તર અને બાહ્ય અધિકારમાં કરવામાં આવ્યો છે તેમાં એમ કહ્યું છે કે નારક, દેવ અને તીર્થકર સિવાયના જીવો અવધિજ્ઞાનથી બહાર પણ હોય છે અને અવધિજ્ઞાનની અંદર પણ હોય છે. અવધિજ્ઞાન દ્વારા પ્રકાશ્ય વસ્તુને એક દેશ પ્રકાશિત કરનાર અવર્ધિજ્ઞાનને દેશાવધિ કહે છે તથા તેનાથી વિપરીત જે અવધિજ્ઞાન છે તેને સર્વાવધિજ્ઞાન કહે છે. મનુષ્યોને તે બન્ને પ્રકારનાં અવધિજ્ઞાન થાય છે. પણ બાકીના જીવોને દેશાવધિ જ અવધિજ્ઞાન થાય છે જે જીવોને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવાની હોય છે તે જીવેને સર્વાવધિ પ્રકારનું અવધિજ્ઞાન થાય છે. અવધિજ્ઞાનની હાનિવૃદ્ધિનું નામ અવધિની હાનિવૃદ્ધિ છે. તિર્યંચ અને મનુષ્યને વર્ધમાન અને હીયમાન, એ બન્ને પ્રકારનું અવધિજ્ઞાન થાય છે બાકીના દેવ અને નારકીઓને યથાવસ્થિત (વૃદ્ધિ કે હાનિરહિત) અવધિજ્ઞાન થાય છે. વર્ધમાન અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમાં ભાગથી વધતું વધતું અધિક અને અધિકતર પ્રમાણમાં વધતું જાય છે. તથા હીયમાન અવધિજ્ઞાન અધિક અને અધિકતર પ્રમાણમાં ઘટતું ઘટતું અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ બાકી રહે છે. ઉત્કૃષ્ટરૂપે સમસ્તલોકને જાણનાર અવધિજ્ઞાનને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે અને તેના કરતાં જે અધિકવેદી અવધિજ્ઞાન હોય છે તેને અપ્રતિપાતી કહે છે. દેવ અને નારકીઓને ભવપ્રત્યય નામનું જે અવધિજ્ઞાન થાય છે તે પ્રતિપાતી હતું નથી. તથા જે ક્ષાયે પશમનિમિત્તક અવધિજ્ઞાન હોય છે તે પ્રતિપાતી અપ્રતિપાતી એ બન્ને પ્રકારનું હોય છે. સૂ. ૧૯ હવે સૂત્રકાર એ વિષયનું સ્પષ્ટીકરણ કરે છે કે અવધિજ્ઞાન કેટલા પ્રકારનું હોય છે. શબ્દાર્થ –-(ક્ષણવિહા મતે) વદતિવિધાઃ વસ્તુ મત ! હે ભદંત કેટલા પ્રકારનું (કોરી) અવધિ-અવધિજ્ઞાન (quત્તા) પ્રતા - કહ્યું છે ? ( મા! વિઠ્ઠ gamત્તા) છે જૌતમ! ક્રિવિધા ઘણા –હે ગૌતમ ! બે પ્રકારનું કહ્યું છે. (મવપત્તરુણ ઇ વોવામિg) મવપ્રત્યવિવાચ ક્ષારોપશમાર્ચ-(૧) ભવપ્રત્યયિક અને (૨) ક્ષાપશમિક (gવં લઇ ગોહિયં માળિયદi) gવં નવ શ્રી સમવાયાંગ સૂત્ર ૪૨૯
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy