________________
પાપપુણણ કાનિરૂપણ
જે કુom “g in તિ પુણ્ય એક છે, પાપ એક છે. “પુણ” ધાતુમાંથી પુણ્ય બને છે. પુણ એટલે શુભ. આત્માને જે પવિત્ર કરે તેનું નામ પુણ્ય છે. શુભ કર્મ જ આત્માને પવિત્ર કર્યા કરે છે, તેથી શુભ કર્મો જ પુણ્ય છે. તે પુણ્ય પણ સામાન્યની અપેક્ષાએ એક છે. જો કે પુણ્ય પ્રકૃતિના ભેદ પ્રમાણે પુણય નવ પ્રકારનું છે. તથા પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય એવા બે પ્રકારના પણ ભેદ છે. અથવા પ્રત્યેક જીવમાં પુણ્યપ્રકૃતિને ન્યૂન કે અધિક પ્રમાણમાં સદ્ભાવ હેવાથી તેમની અપેક્ષાએ તે અનેક પ્રકારનું પણ હોઈ શકે છે, આ રીતે અનંત જીવોમાં તેનું અસ્તિત્વ હોવાને કારણે તે અનંત ભેદવાળું પણ થાય છે છતાં પણ સામાન્ય પુણ્યત્વની અપેક્ષાએ તેને એક ગણવામાં આવે છે, કારણ કે સામાન્ય પોતાની વિશેષ વ્યક્તિમાં રહે છે. એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય આદિ અશુભ કર્મ પણ અનેક પ્રકારના હોવા છતાં પણ અશુભત્વરૂપ સામાન્યની અપેક્ષાએ એક છે. ૧૧
પાપ શબ્દને અથ અશુભકર્મ છે. તે પણ જ્ઞાનાવરણીય આદિ પાપપ્રકૃતિ ચેની અપેક્ષાએ અનેક પ્રકારનું છે. પુણ્યાનુબંધી પાપ અને પાપાનુંબંધી પાપના ભેદથી તે બે પ્રકારનું છે; અને અનંત જીવમાં આશ્રિત હોવાથી તે અનંત પ્રકારનું પણ છે તે પણ સામાન્યની અપેક્ષાએ તેને એક ગણવામાં કઈ વાંધો નથી.
ભાવાર્થ – શાસ્ત્રમાં અન્નપુણ્ય આદિ ભેદથી પુણ્ય નવ પ્રકારનું કહેલ છે. તથા જે પુણ્યથી પુણ્યને બંધ બંધાય તે પુણ્યાનુબંધી પુણ્ય અને જેનાથી પાપને
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૫