SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ દે એવા પણ હોય છે કે ભવસિદ્ધિક હોય છે. તેઓ અઠ્ઠાવીસ ભવ કર્યા પછી સિદ્ધપદ પામશે, જ્ઞાનાદિક અનંત ગુણેને ધારણ કરશે, સમસ્ત દુ:ખોથી મુક્ત થશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુઃખેને અંત કરશે. રૂ. ૬૧ ઉત્તીસવે સમવાયમેં પાપકૃતકા નિરૂપણ હવે સૂત્રકાર ૨૯ ઓગણત્રીસ સંખ્યાવાળા સમવાયનું કથન કરે છે–“gમૂળતિષિ” ફરવારિકા ટીકાથ–પાપાશ્રત પ્રસંગ એટલે કે પાપાશ્રુત ૨૯ ઓગણત્રીસ પ્રકારના કહેલ છે. તે પ્રકારે આ પ્રમાણે છે-(૧) ભૂકંપ આદિના ફળનું સૂચક નિમિત્તશાસ્ત્ર, (૨) -અતિથ, લેહી આદિની દૃષ્ટિના ફળનું સૂચક નિમિત્ત શાસ્ત્ર, (૩) aનસ્વપ્નનાં શુભ અને અશુભ ફળ કહેનાર નિમિત્તશાસ, (૪) ગન્તરિક્ષ-આકાશમાં ઉત્પન્ન થયેલ ગ્રહયુદ્ધ આદિનું ફળ દર્શાવનાર શાસ, (૫) શશિર, આંખ આદિ, ફરકવાથી મળતાં શુભાશુભ ફળનું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર, (૬) દ્વાજીવ. અજીવ આદિના અવાજનું શુભાશુભ ફળ બતાવનાર શાસ્ત્ર, (૭) દાનશરીર પરના તલ, મષા આદિનું ફળ દર્શાવનાર શાસ, (૮) અક્ષ-સ્ત્રી અને પુષના શરીર પરના ચિહ્નો કે જેનાથી શુભાશુભ ફળ જાણી શકાય છે, તે લક્ષ નું પ્રતિપાદક શાસ્ત્ર, ચકવતી અને તીર્થંકરનાં ૧૦૦ એક હજાર આઠ લક્ષણો તેમા બતાવ્યા છે. બળદેવ અને વાસુદેવના ૧૦૮ એક સે આઠ લક્ષણે હોય છે અને જે બીજા ભાગ્યશાળી જીવો હોય છે તેમનાં ૩૨ બત્રીસ લક્ષણો બતાવ્યાં છે. આ રીતે તે આઠ પાપકૃત છે. પાપજનક શાસ્ત્રોને પાપકૃત કહે છે, કારણકે એવાં શાસ્ત્રોનું અધ્યયન કરવાથી ફક્ત પાપને જ બંધ બંધાય છે. તે આઠેના સૂત્ર, વૃત્તિ અને વાતિકના ભેદથી ત્રણ, ત્રણ પ્રકાર છે. તેથી ૮૪૩=૨૪ ભેદ થઈ જાય છે. એ જ વાત આ પદ દ્વારા દર્શાવવામાં આવી છે. આ પ્રમાણે પ્રત્યેક પાપશ્રુતના ત્રણ ત્રણ ભેદ હેવાથી તે શ્રુત ત્રણ, ત્રણ પ્રકારનાં છે. તથા વિકથાનુગ, વિદ્યાનુયોગ, મંત્રાનુયોગ, યોગાનુગ અને અન્યતીયિક પ્રવૃત્તાનુગ, એ પાંચ અનુયોગોને ઉપરના ૨૪માં ઉમેરતાં પાપકૃતના કુલ ૨૯ ઓગણત્રીસ પ્રકાર થાય છે. મૂળને “સૂત્ર' કહે છે. વ્યાખ્યાને “વૃત્તિ કહે છે. વૃત્તિ ઉપર જે વિશેષ વ્યાખ્યા કરાય છે તેને “વાર્તિક' કહે છે. અર્થ અને કામ, એ બન્નેના ઉપાયરૂપ માર્ગનું પ્રતિપાદન કરનાર કામદક વાત્સ્યાયન દ્વારા કથિત શ્રી સમવાયાંગ સૂત્ર ૧૪૦
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy