SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તૂટી પડે છે ત્યારે તે વૃક્ષ, તે સ્થાન સમ છે કે વિષમ છે તે બાબતનો વિચાર કરતું નથી, અને નિશ્ચલ રીતે પડયું રહે છે, એ જ પ્રમાણે જે જીવ જે રીતે આ મરણ સ્વીકાર કરે છે. તે બેઠાં બેઠાં મરણને સ્વીકાર કરતે હોય તે બેસી જ રહે છે જે એક પડખે સૂતા સૂતા તે મરણને સ્વીકાર કરતા હે ય તે એક જ પડખે પડ રહે છે–આમ તેમ હાલતો નથી. તેનું તાત્પર્ય એ છે કે જે સ્થાને તે જે રીતે પડ રહેવાનું નકકી કરે તે જ સ્થાને તે જીવે ત્યાં સુધી પડે રહે છે, આ પ્રમાણે પડ્યા રહીને નિપ્રતિકર્મ શરીરવાળા, અને ચારે પ્રકારના આહારને જેણે પરિત્યાગ કર્યો છે એવા મુનિનું મરણ પાદપપગમન મરણ કહેવાય છે સૂફમ સંપરાય ગુણસ્થાનવતી જીવ ઉપશમક અને ક્ષેપકના ભેદથી બે પ્રકાર હોય છે. તે બન્ને સૂક્ષમભકષાય રૂપ મળના વેદક હોય છે. ધ્યાન રૂપ અધર્યથી યુકત હેય છે. આ રીતે આ દિશામાં ગુણસ્થાનમાં રહેલ જીવ એક સે વીસ (૧૨૦) બંધ ગ્યા પ્રકૃતિઓમાંથી સત્તર કર્મ પ્રકૃતિને બંધ બાંધે છે. (૧) આભિનિબેધિક જ્ઞાનાવરણ [૨] શ્રત જ્ઞાનાવરણ, (૩) અવધિજ્ઞાનાવરણ, (૪) મન:પર્યયજ્ઞાનાવરણ, (૫) કેવળજ્ઞાનાવરણ, (૬) ચક્ષુદર્શનાવરણ, (૭) અચક્ષુદર્શનાવરણ (૮) અવધિ દર્શનાવરણ () કેવળદશનાવરણ, (૧૦) સાતવેદનીય, (૧૧) યશકીર્તિનામ (૧૨) ઉચ્ચગેત્ર, (૧૩) દાનાન્તરાય, (૧૪) લાભાન્તરાય, (૧૫) ભોગાન્તરાય, (૧૬) (૧૭) વીર્વાન્તરાય, એ સત્તર પ્રકૃતિયોને બંધ જ બાંધે છે. અન્ય પ્રકૃતિઓને નહી. સંશયાદિ ભાવ રહિત થઈને જે અર્વાભિમુખ બોધ થાય તેનું નામ અભિનિબે ધક જ્ઞાન છે. આ જ્ઞાન પાંચ ઇન્દ્રિયો અને મનને કારણે થાય છે. આ જ્ઞાનનું આવારક જે કર્મ હોય છે તેનું નામ આમિનિબાધિક જ્ઞાનાવરણ છે સૂ. ૪૧ સતરહ સમવાય મેં નારકિયો કે સ્થિત્યાદિ કાનિરૂપણ ટીકાઈ–ોળ રૂક્ષ્યા!આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ સત્તર પપમની છે. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપ ની કહી છે. છઠ્ઠી પૃથ્વીમાં કેટલાક નારકીઓની જઘન્યસ્થિ ત સત્તર સાગરોપમની કહી શ્રી સમવાયાંગ સૂત્ર ૧૦૪
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy