SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભય મનઃ પ્રવેગ છે. જેમ કે–જીવ છે અને તે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે” આ વિચાર કરે તે સત્ય છે. જીવ નથી, અથવા એકાન્તતઃ તે નિત્ય છે,” એવી માન્યતા રાખવી તે અસત્ય છે. તેથી વિપરીત “જે સત્ય ન હોય અને અસત્ય પણ ન હાય” એવું અસત્યામૃષામન છે. અને તે મનને જે પ્રગ છે તેને અસત્યામૃષામનઃ પ્રયોગ કહે છે. જેમ કે એષણીય વસ્ત્ર પાત્ર આદિ લેવા જોઈએ, બાલ, ગ્લાન આદિનું વૈયાવૃત્વ કરવું જોઈએ” એજ રીતે સત્યવચન પ્રયોગ આદિ ચારનું સ્વરૂપ સમજવું. ઔદારિક શરીર રૂપ કાયને પ્રયોગ ઔદ્યારિક શરીર કાય પ્રગ છે. તે પર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચને થાય છે. દારિક મિશ્રશરીર કાનું તાત્પર્ય દારિક શરીરની અપરિપૂર્ણતા છે. તે પિતાના ઉત્પત્તિ કાળે અસંપૂર્ણ હોય છે અને કામણ શરીરથી મિશ્રિત રહ્યા કરે છે. તે અપર્યાપ્ત જીને–મનુષ્ય અને તિર્યને થાય છે. વિવિક શરીર કાય પ્રયોગ વૈક્રિય પર્યાપ્તથી પર્યાપ્ત થયેલ છેને હેય છે. વિકૃવિક મિશ્રશરીર કાય પ્રયોગ અપર્યાપ્ત અવસ્થામાં દેવ અને નારકીઓને થાય છે. જ્યારે પંચેન્દ્રિય મનુષ્ય અથવા તિર્યંચ અથવા ઈ વાયુકાયિક જીવ તે વૈક્રિય શરીરની રચના કરીને કૃતકાર્ય થતે તે વૈક્રિય શરીરને છોડવાની અભિલાષા વાળે બને છે અને દારિક શરીરમાં પ્રવેશવાને પ્રયત્ન કરે છે ત્યારે તે વૈકિય શરીરના બળથી ઔદારિક શરીર ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિમાં વૈકિય શરીરની પ્રધાનતા હોવાથી તેને વૈકિય શરીર કાય પ્રયોગ કહ્યા છે. આહારક શરીર કાય પ્રયોગ–આહારક પર્યાપ્તથી પર્યાપ્ત થયેલ જીવને થાય છે. આહારક મિશ્રશરીર કાય પ્રાગ ત્યારે થાય છે કે જ્યારે જીવ આહારક શરીરને છેડીને ઔદારિક શરીરમાં પ્રવેશ કરે છે કાશ્મણ શરીરની રચના કામણ શરીર નામ કમના ઉદયથી થાય છે. આ શરીર સમસ્ત કર્મોની ઉત્પત્તિ માટે ભૂમિ સમાન છે. સંસારી આત્માઓને ગત્યન્તર સંક્રમણ કરવામાં એજ અત્યંત સાધક છે, એવું કામણ વગણ સ્વરૂપ આ કામણ શરીરરૂપ કાય છે, તેને જે પ્રયોગ તેને કાશ્મણ શરીરકાય પ્રયોગ કહે છે સૂદા શ્રી સમવાયાંગ સૂત્ર ૯૫
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy