SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ tr ભગવાન મહાવીરે અનેક જીવેા પર ઉપકાર કરવા નિમિત્તે તેને આ પ્રમાણે કહ્યું–“ સુલસા શ્રાવિકાને ધર્મધ્યાન કરવાનું મારા તરફથી કહેશે.” જ્યારે મહાવીર પ્રભુએ તે વિદ્યાધરને આ પ્રમાણે કહ્યું ત્યારે તેના મનમાં એવા વિચાર થયા કે સુલસા કેટલી બધી પુણ્યશાલિની છે. ત્રિલેાકીનાથ ભગવાનની તેના પ્રત્યે કેવી કૃપાદૃષ્ટિ છે! અહા ! ખુદ મહાવીર પ્રભુ તેને ધર્મધ્યાન કરવાની પ્રેરણા આપી રહ્યા છે.” ત્યાર ખાદ તેણે વિચાર કર્યાં કે સુલસા શ્રાવિકાના સમ્યક્ત્વની મારે કસાટી કરવી જોઇએ. આ પ્રમાણે વિચાર કરીને તેણે પરિમાજકના વેષ ધારણ કર્યાં. સુલસાની પાસે જઈને તેણે આ પ્રમાણે કહ્યું હું આયુમતિ! જો તું ગુરુમુદ્ધિથી ( મને ગુરુ માનીને) મને ભાજન પ્રદાન કરીશ તા તને ખૂબ જ ધમ લાભ થશે.” ત્યારે સુલસાએ તેને જવાબ આપ્યોગુરુમુદ્ધિથી કાને આહાર પ્રદાન કરવા તે હું જાણું છું.” એટલે કે હું આપને ગુરુમુદ્ધિથી ભાજન પ્રદાન કરી શકીશ નહીં. ત્યારે અમ્બડે પોતાની વિદ્યાના પ્રભાવથી આકાશમાં કમળનુ નિર્માણ કર્યું". તે કમલ પર બેસીને તેણે લેાકેાને આશ્ચર્ય ચકિત કરી નાખ્યા. લોકોએ તેને લેાજનને માટે આમત્રણ આપવા માંડ્યુ, પણ તેણે કેાઈના આમ ત્રણના સ્વીકાર ન કર્યો. ત્યારે લેકે એ તેને પૂછ્યું- ભગવન્ ! માસખમણને અન્તે આપ કયા ભાગ્યશાળીના હાથના માહાર ગ્રહણ કરીને તેના સૌભાગ્યની અભિવૃદ્ધિ કરશે ?” ત્યારે અમ્બરે જવાબ આપ્યા“ હું સુલસાને ત્યાંથી આહાર ગ્રહણ કરીને તેના સૌભાગ્યની અભિવૃદ્ધિ કરીશ.” તેની આ વાત સાંભળીને લેાકેાએ સુલસા પાસે જઈનેતેને કહ્યુ “હું સુલસા ! તુ ઘણી ભાગ્યશાળી છે, કારણ કે માસખમણુને અન્તે તે સાધુ તારા ઘરનું ભાજન વહેારીને પારણુ કરવાને છે.” ત્યારે સુલસાએ કહ્યું “ હુ ગુરુભાવથી ( તેને મારા ગુરુ ગણીને) તેને આહાર પ્રદાન કરવા માગતી નથી.” લેાકાએ અસ્ખડ પાસે જઈને આ વાત તેને કહી સભળાવી, ત્યારે તેને ખાતરી થઇ ગઇ કે સુલસા પરમ સભ્યષ્ટિ જીપ છે. તેથી જ મારા આ ચમત્કારની પણ તેના ઉપર્ બિલકુલ અસર થઈ નથી. આ પ્રકારે ખુલાસાની કસેટી કરીને તે લેાકેાની સાથે સુલસાને ઘેર ગયે। નૈષધિકી કરતા te શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૧૧૪
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy