SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યા દુષ્કૃત દેવું તેનું નામ પ્રતિક્રમણ છે. આલોચના કરવી અને મિથ્યાદુકૃત દેવું–આ બનેને જે પ્રાયશ્ચિત્તમાં સદ્ભાવ રહે છે તે પ્રાયશ્ચિતને તદભાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. અશુદ્ધ ભક્ત (આહાર) આદિનો ત્યાગ કરે તેનું નામ વિવેક છે. કાયન્સ કરવું તેનું નામ વ્યુત્સર્ગ છે.નિર્વિકૃતિક આદિ તપસ્યાઓનું નામ તપ છે. પ્રવ્રયા પર્યાયમાં ઘટાડો કરી તેનું નામ છેદ છે. મહાવ્રતનું આરોપણ કરવું તેનું નામ મૂળ છે, તથા જેણે તપસ્યા કરી છે એવા પુરુષમાં તેનું આરોપણ કરવું તેનું નામ અનવસ્થાપ્ય છે. જે પાપશુદ્ધિ ઉપર્યુક્ત પ્રાયશ્ચિત્તોને રેગ્ય હોય છે, તેમનું જ અહીં આલેચનાઈ, પ્રતિક્રમણહ, તદુભયાઈ આદિ નવા પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અહીં નવ સ્થાનનો અધિકાર હોવાથી નવ પ્રકારના પ્રાયશ્ચિત્તોનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે પ્રાયશ્ચિત્તને દસમો પ્રકાર પારાચિક પ્રાયશ્ચિત્ત છે. તે લિંગાદિ ભેદ રૂપ એટલે કે સાધુના રજોહરણ, વસ્ત્ર આદિનો ત્યાગ કરાવવા રૂપ હોય છે. . સ. ૩૦ છે. ઉપર્યુક્ત પ્રાયશ્ચિત્તોને સદ્ભાવ ભરતાદિ ક્ષેત્રમાં જ હોય છે, તેથી હવે દક્ષિણ ભરતમેં રહે હવે સિદ્ધાદિકૂટાંકા નિરૂપણ / આંતરરોગને કારણે કર્મવિશેષકા નિરૂપણ સૂત્રકાર ભરતાદિ ક્ષેત્રગત વસ્તુ વિશેનું નિરૂપણ કરે છે–“વંતૂ મંતર હાળેિv ઈત્યાદિ–(સ. ૩૧) જંબુદ્વીપમાં આવેલા મન્દર પર્વતની દક્ષિણ દિશામાં રહેલા ભરતક્ષેત્રમાં જે વૈતાઢય પર્વત છે તેના ઉપર નવ ફૂટ છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) સિદ્ધ, (૨) ભરત, (૩) ખંડક, (૪) મણિ. (૫) વૈતાઢય. (૬) પૂર્ણ, (૭) તિમિસ્ત્ર ગુહા, (૮) ભરત અને (૯) શ્રમણ ! જબૂદ્વીપના મન્દરપર્વનની દક્ષિણદિશામાં રહેલા નિષધ વર્ષધર પર્વત પર નવ ફૂટ કહ્યાં છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) સિદ્ધ, (૨) નિષધ, (૩) હરિવર્ષ, () વિદેહ, (૫) હી (૬) ધૃતિ, (૭) શીતદા, (૮) અપરવિદેહ અને (૮) રુચક છે? જબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતના નંદનવનમાં નવ ફૂટ કહ્યા છે તેમનાં નામે નીચે પ્રમાણે છે (૧) નંદન, (૨) મન્દર, (૩) નિષધ, (૪) હિમવાન, (૫) રજત, (૬) રુચક, (૭) સાગરચિત્ર, (૮) વન અને (૯) બલકૂટ, શાળા જબૂદ્વીપના માલ્યવાનું વક્ષરકાર પર્વત પર નવ કૂટ કહ્યાં છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) સિદ્ધ, (૨) માલ્યવાન, (૩) ઉત્તરકુરુ, (૪) કચ્છ, (૫) સાગર, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૧૦૮
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy