SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિ કરી છે બ્રહ્મલેક કલ્પમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલા એક બળદેવ પણ ત્યાંથી વીને, મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને ભવિષ્ય કાળમાં સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. આ વિષયનું સમવાયાંગસૂત્રમાં વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તો ત્યાંથી આ વિષયની વધુ માહિતી મેળવી લેવી. “નવી રે માર” ઈત્યાદિ– આ જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણમાં બલદેવવાસુદેવના નવ પિતા થશે, બલદેવ-વાસુદેવની માતાએ પણ નવ થશે, ઇત્યાદિ સમસ્ત કથન સમવાયાંગ સૂત્રમાં કહ્યા અનુસાર જ અહીં પણ ગ્રહણ કરવાનું છે. મામીન ઇ સુપ્રીવ” સૂત્રપાઠ પર્યતનું સમવાયાંગ સૂત્રમાં આવતું સમસ્ત કથન અહી ગ્રહણ કરવું જોઈએ. નવ વાસુદેવના પ્રતિવાસુદેવ પણ નવ જ થશે. આ નવે પ્રતિવાસુદેવે ચક્રધન શીલ (ચક વડે યુદ્ધ કરનારા) હશે. તેઓ વાસુદેવને મારવાને માટે છોડેલા પણ વાસુદેવે દ્વારા પાછા વળાયેલાં પિતપિતાને જ ચક્રો વડે જ માય જશે. એટલે કે વાસુદેવ અને પ્રતિવાસુદેવની વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ થાય છે. ત્યારે પ્રતિવાસુદેવ વાસુદેવને હણવા માટે પિતાનું ચક્ર તેના તરફ છેડે છે. તે ચક્ર વાસુદેવને વાળ પણ વાંકે કરી શકતું નથી અને વાસુદેવ પાસેથી પાછું ફરીને પ્રતિવાસુદેવને જ હણ નાખે છે, આ પ્રકારની સિદ્ધાન્તની માન્યતા છે. તેથી જ “વનિ પર?” આ પ્રકારને સૂત્રપાઠ અહીં મૂકવામાં આવ્યે છે. એ સૂત્ર. ૧૩ ચકવર્તકે મહાનિધિકા નિરૂપણ મહાપુરુષોને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર મહાપુરુષ વિશેષ રૂ૫ ચક્રવર્તીઓના મહાનિધિઓનું કથન કરે છે “gri માનિ જા નવ કોચનારું” ઈત્યાદિ–(૧૪) ટીકાર્થ–પ્રત્યેક મહાનિધિને વિષ્કસ નવ નવ જનને કહ્યો છે. પ્રત્યેક ચકવત રાજાના નવ નવ મહાનિધિઓ કહ્યા છે. તેમનાં નામ નીચે પ્રમાણ છે-(૧) નવ સર્પ, (૨) પાંડુક, (૩) પિંગલક, (૪) સર્વરત્ન, (૫) મહાપ, (૬) કાલ, (૭). મહાકાલ, (૮) માણવક અને (૯) મહાનિધિશંખ. છે જ્ઞાન િઈત્યાદિ–નિસર્ષનિધિ નૈસર્પ દેવ વડે અધિછિત હોય છે, તે કારણે તે નિધિને નિસર્ષનિધિ કહ્યો છે. તેમાં ગ્રામ, આકર, નગર, પત્તન, દ્રોણમુખ, મમ્મ, સ્કન્ધાવાર; અને ગૃહની સ્થાપના કરે છે. કાંટાવાળી વાડથી ઘેરાયેલા સ્થાનને ગ્રામ કહે છે. સુવર્ણ, રત્ન આદિ જે સ્થાનમાં નીકળે છે. તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૯૪
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy