SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષાએ જે અપરાધમાં ગીતાર્થ સાધુ દ્વારા જેવી વિશુદ્ધિ કરવામાં આવી હોય તે વિશુદ્ધિને હદયમાં ધારણ કરીને એ જ પ્રકારને અપરાધ થઈ જતાં અન્ય સ છે પણ એ જ પ્રકારે જે વિશુદ્ધિ કરે છે તેને ધારણા કહે છે. અથવા જે સાધુ ગચ્છને ઉપકાર કરે છે–વૈયાવૃત્ય આદિ કરે છે, પરન્તુ તેના દ્વારા કોઈ એવું કાર્ય થઈ જાય કે જે સમસ્ત સાધુઓને અનું ચિત લાગે છે, તે તેની વિશુદ્ધિ નિમિત્તે બતાવવામાં આવેલા પ્રાયશ્ચિત્ત પદની જે ધારણું છે, તેનું નામ ધારણું સમજવું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરુષ પ્રતિસેવાની અનુવૃત્તિની અપેક્ષાએ સંહનન, ધતિ આદિની હીનતાને વિચાર કરીને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે તેને જીતવ્યવહાર કહે છે. અથવા જે ગચ્છમાં કઈ કારણે સૂત્રાતિરિક્ત (સૂત્રમાં જેને આધાર ન મળતા હોય એ ) વ્યવહાર ચાલી રહ્યો હોય તથા અનેક સાધુ આદિ દ્વારા જે વ્યવહારની પ્રશંસા કરાઈ હોય તેવા વ્યવહારને જીતવ્યવહાર કહે છે. આગમ આદિ રૂપ વ્યવહારનું સ્વરૂપ બતાવતી કેટલીક ગાથાઓ અન્ય શાસ્ત્રોમાં આપેલી છે, તે ગાથાઓ હવે અહીં આપવામાં આવે છે– “ માનપુચવવારો” ઈત્યાદિ– હે શિષ્ય! ધીર પુરુષ તીર્થંકર ગણધરાદિ કે જે પ્રકારે આગમશ્રુત વ્યવહારને આગમ વ્યવહાર કર્યો છે, તે હું નીચે સમજાવું છું, તે તું દયાન દઈને તે સાંભળ. અહી “આગમથુત” એક જ પદ . આગમ અને શ્રત અલગ અલગ પદે નથી. આગમને જ અહીં કૃત માનવામાં આવેલ છે. તેથી આગમત રૂપ જે વ્યવહાર છે, તેને જ આગમકૃત વ્યવહાર સમજવો જોઈએ. તે આગમ વ્યવહાર પ્રત્યક્ષ અને પક્ષના ભેદથી બે પ્રકારને કહ્યો છે. ૫ “વચરણોવિશ ટુરિહો” ઈત્યાદિ- પ્રત્યક્ષ આગમ વ્યવહારના નીચે પ્રમાણે બે ભેદ પડે છે–(1) ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષ અને (૨) ને ઇન્દ્રિય જન્ય પ્રત્યક્ષ ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષ પાંચ ઇન્દ્રિયના અને વિષય કરનારે હોવાથી પાંચ પ્રકારને કહ્યો છે. ૨૫ નો ફુરિ ઘણો” ઈત્યાદિ–ને ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષ સંક્ષિપ્તમાં ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) અવધિજ્ઞાન, (૨) મન પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન : ૩ “પરગણામરિકો” ઈત્યાદિ– જેમ મુખમાં ચન્દ્રમાને ઉપચાર કરીને લેકે કઈ સ્ત્રીને યદ્રમુખી કહી દે છે, એ જ પ્રમાણે જે મુનિને. પરોક્ષ આગમ પણ વસ્તુ સ્વરૂપને સામાન્ય રૂપે નિર્ણાયક હોય છે. તે મુનિને પણ ઉપચારથી આગમ વ્યવહારવાળા કહેવામાં આવે છે, કારણ કે તેમના આગમને પણ પ્રત્યક્ષ આગમ સમાન માની લેવામાં આવે છે. ૪ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २७
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy